Amreli News : અમરેલીમાં એક શ્વાને લોકોને ભટમાં જીવવા મજબૂર કરૂ દીધા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમરેલીના વડીયામાં આ શ્વાને 16 જણાને બચકા ભરીને સિકાર બનાવ્યા હતા. જેને પગલે આ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. બચકા ભરતા આ શ્વાને એક પોલીસકર્મીને પણ છોડ્યો ન હતો. આ શ્વાનને પકડવામાં પણ બિલાડીને ગળે ઘંટ બાંધવા કોણ જાય તેવો ઘાટ સર્જાયો છે.
તેમછત્તા ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ હિંમત એકઠી કરીને આ શ્વાનને પકડવાના અભિયાનમાં જોડાયા હતા. બીજીતરફ આ શ્વાનથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને વડીયાની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાથી સામાન્ય રસી આપવામાં આવી છે. જે પણ તંત્રની એક કરૂણતા ગણાય.
હડકવાની રસી ન હોવાથી ઈજાગ્રસ્તોને રસી માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં પણ હડકવાની રસી ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નતી.જિલ્લામાં હડકવાની રસી ન હોવાથી લોકોને રસી મુકાવવા માટે અન્ય ઠેકાણે દોડવુ પડે છે. જેને પગલે સ્તાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે અને લોકોએ તાલુકા વાઈઢ હડકવાની રસી ઉપલબ્ધ હોય તેવી માંગણી કરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના
આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:જાતજાતના વાયરસથી ચેતી જજો, હોસ્પિટલો ઉભરાઈ રહી છે
