kolkata news/  મમતા સરકાર લાવી ‘એન્ટિ રેપ બિલ’, વિધાનસભામાં બિલ રજૂ, બળાત્કારીને 10 દિવસમાં ફાંસી આપવાની જોગવાઈ

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં બળાત્કાર કેસ પીડિતાને ન્યાય મેળવવા માટે લાંબા સમયથી વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોના પ્રયત્નોને આખરે ફળ મળ્યું. વિરોધ પ્રદર્શનના દબાણની અસર એવી છે કે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકાર વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ લાવી છે.

Top Stories India

Kolkata News: કોલકાતા, પશ્ચિમ બંગાળમાં બળાત્કાર કેસ પીડિતાને ન્યાય મેળવવા માટે લાંબા સમયથી વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોના પ્રયત્નોને આખરે ફળ મળ્યું. વિરોધ પ્રદર્શનના દબાણની અસર એવી છે કે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકાર વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ લાવી છે. કાયદા પ્રધાન મોલોય ઘટક દ્વારા વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તેને અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ)-2024 નામ આપવામાં આવ્યું છે.

મમતા સરકારે રજૂ કરેલા બિલમાં બળાત્કારના દોષિતને 10 દિવસની અંદર ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. આ કેસની તપાસ 36 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ પાસ કરવા માટે 2 સપ્ટેમ્બરથી બે દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ બિલ આજે જ વિધાનસભામાં પસાર થઈ શકે છે.

ભાજપે એસેમ્બલી સ્પીકર બિમન બેનર્જીને કોલકાતા બળાત્કાર કેસ પીડિતા માટે શોક સંદેશ પસાર કરવા કહ્યું હતું, જે બંગાળ વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું ન હતું. આ ઘટનાને લઈને વિધાનસભા અધ્યક્ષ અને એલઓપી સુવેન્દુ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 09 03T124556.620 બંગાળમાં બળાત્કાર વિરોધી 'અપરાજિતા' બિલ રજૂ, 10 દિવસમાં દોષિતોને ફાંસીની સજાની જોગવાઈ

બિલમાં શું છે જોગવાઈ

અપરાજિતા મહિલા અને ચિલ્ડ્રન બિલ 2024નો ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોને સુરક્ષા પ્રદાન કરવાનો છે.

બળાત્કારના કેસની તપાસ 21 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ છે, જેને વધારીને 15 દિવસ કરવામાં આવી છે.

જો બળાત્કાર પીડિતા મૃત્યુ પામે છે અથવા કોમામાં જાય છે, તો ગુનેગારને મૃત્યુદંડ આપવામાં આવશે.

દરેક જિલ્લામાં ‘અપરાજિતા ટાસ્ક ફોર્સ’ની રચના કરવામાં આવશે, તેનું નેતૃત્વ DSP સ્તરના અધિકારી કરશે.

બળાત્કાર અને ગેંગરેપના દોષિતોને પેરોલ વિના આજીવન કેદની સજા આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોલકાતા પોલીસ કમિશનરના રાજીનામાની માંગ, જુનિયર ડોક્ટરોનો વિરોધ શરુ

આ પણ વાંચો:મમતાને પીએમ મોદીને પત્રઃ કોલકાતા કેસના આરોપીને કડકમાં કડક સજા કરાય

આ પણ વાંચો:કોલકાતા બળાત્કાર કેસ પર બ્લોગરને કવિતા લખવી પડી ભારે, પાકિસ્તાની મહિલા બ્લગોગરને થઈ જેલ