Amreli News : અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતા સમયે બોટમાં રેતી સહીત ભારે મટીરયલ ભરતા બોટ પલ્ટી મારી ગઈ હતી.બોટ ઓવરલોડ થવાના કારણે પલ્ટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડી આવ્યા હતા. બોટમાં એક મહિલા અને વ્યક્તિ સવાર હતા. સારવાર અર્થે તેંમને રાજુલા બાદ અમરેલી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે લોકો આવજાવ કરે છે. જેમાં રેતી સિમેન્ટ સહીત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામા આવે છે.આજની બોટ પલ્ટી મારી જવાની ઘટનામાં પીપાવાવ મરીન પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરશે. જેમાં પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુન્હો નોંધી તપાસ કરશે.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
