Navratri 2024/ નવરાત્રિ દરમિયાન નવદુર્ગાના દિવ્ય બીજ મંત્રનો કરો જાપ

આ દિવસોમાં  નવરાત્રીનો તહેવાર ચાલુ છે. અને નવરાત્રીના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. આ નવરાત્રિ દરમિયાન દરરોજ નવદુર્ગાના નીચેના બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.

Trending Dharma & Bhakti

Navratri 2024: આ દિવસોમાં  નવરાત્રીનો તહેવાર ચાલુ છે. અને નવરાત્રીના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. આ નવરાત્રિ દરમિયાન દરરોજ નવદુર્ગાના નીચેના બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.

મા દુર્ગાના નવ અવતાર છે – મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રી, મા સિદ્ધિદાત્રી અને મા મહાગૌરી. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાએ જુદા જુદા હેતુઓ પૂરા કરવા માટે આ નવ સ્વરૂપ ધારણ કર્યા હતા. મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા દરમિયાન નવદુર્ગા બીજ મંત્રોનો જાપ ભક્તો માટે ફાયદાકારક સાબિત થાય છે. આવો જાણીએ મા દુર્ગાના 9 સ્વરૂપ બીજ મંત્રો વિશે…

મા શૈલપુત્રી બીજ મંત્ર

હ્રીં શિવાય નમઃ

મા બ્રહ્મચારિણી બીજ મંત્ર

હ્રીં શ્રી અંબિકાયે નમઃ ।

મા ચંદ્રઘંટા બીજ મંત્ર

ઐં શ્રીં શક્તાય નમઃ

મા કુષ્માંડા બીજ મંત્ર

ઐં હ્રીં દેવ્યૈ નમઃ ।

મા સ્કંદમાતા બીજ મંત્ર

હ્રીં ક્લીં સ્વામિણ્યાય નમઃ

મા કાત્યાયની બીજ મંત્ર

ક્લીં શ્રી ત્રિનેત્રાય નમઃ

મા કાલરાત્રિ બીજ મંત્ર

શ્રી કાલિકાયાય નમઃ

મા મહાગૌરી બીજ મંત્ર

શ્રી ક્લીમ હ્રીં વરદાય નમઃ ।

મા સિદ્ધિદાત્રી બીજ મંત્ર

હ્રીં ક્લીં ઘન સિદ્ધયે નમઃ ।

આ રીતે નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાથી અને દેવી અનુસાર રોજ નવદુર્ગાના આ બીજ મંત્રોનો જાપ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ગરબાના સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત’ નવરાત્રિ મુદ્દે રાજ્ય પોલીસ વડાનું નિવેદન

આ પણ વાંચો:નવરાત્રિની પૂજામાં સ્વચ્છતાનું રાખો ધ્યાન, આ વસ્તુઓ ઘરની બહાર ફેંકો, આવશે પરિવર્તન

 આ પણ વાંચો:શું છે 51 શક્તિપીઠના નિર્માણની કથા? નવરાત્રિના દિવસોમાં જરૂર દર્શન કરો