નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે આંશિક રીતે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કરતાં જણાવ્યું હતું કે કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે સરકાર તેમનાં ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત કરશે. આગામી પાંચ વર્ષમાં આ કામગીરી મિશન મોડમાં હાથ ધરવામાં આવશે. બજેટમાં જાહેર થયા મુજબ સરસવ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખી જેવા તેલીબિયાં માટે ‘આત્મનિર્ભરતા’ હાંસલ કરવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.
બજેટમાં આગામી 6 વર્ષ સુધી દાળ અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના હેતુથી 6 વર્ષનું મિશન શરૂ કરશે, જેમાં ખાસ કરીને તુવેર અને મસૂરની દાળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. NAFED અને NCCF જેવી કેન્દ્રીય એજન્સીઓ આ ત્રણ કઠોળ એવા ખેડૂતો પાસેથી ખરીદવા માટે તૈયાર રહેશે જેઓ એજન્સીઓ સાથે નોંધણી કરાવે છે અને કરાર કરે છે. આ પહેલ આગામી ચાર વર્ષ સુધી ચાલશે, જે ખેડૂતો માટે સમર્થન અને ખાતરીપૂર્વક ખરીદી સુનિશ્ચિત કરશે.
અન્નદાતા’ (ખેડૂત)ને ચાર મુખ્ય જાતિઓમાંની એક ગણાવીને, જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે તમામ મોટા પાક માટે એક મહિના પહેલા ઊંચા લઘુતમ ટેકાના ભાવોની જાહેરાત કરી છે, જે ખર્ચ કરતા ઓછામાં ઓછા 50 ટકાના માર્જિનના વચનને પૂર્ણ કરે છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી હતી, જેનો લાભ 80 કરોડથી વધારે લોકોને મળ્યો હતો.
આ પણ વાંચો:બજેટ પહેલા LPG ગેસ સિલિન્ડર સસ્તું, દિલ્હી, જયપુર, મુંબઈમાં આ હશે નવી કિંમત
આ પણ વાંચો:બજેટ પછી તમારો આવકવેરો કેટલો વધ્યો કે ઘટ્યો? સંપૂર્ણ માહિતી અહીં ઉપલબ્ધ
