Junagadh News/ શાળાઓમાં વાલીઓની જાણ બહાર વિદ્યાર્થીઓની શાળા બદલી દેવાય છે! શિક્ષણ વિભાગે કર્યો ખુલાસો

કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું છે કે જૂનાગઢ જિલ્લામાં આવી 54 શાળાઓ હોવાનું જણાતા ચકચાર મચી ગઈ હતી.

Top Stories Gujarat

Junagadh News: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ (Primary School)ના મુખ્ય શિક્ષકો અને આચાર્યના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો ખુદ શિક્ષણ વિભાગે (Education Department) કર્યો છે. શિક્ષણ વિભાગે DPEO દ્વારા દરેક જિલ્લાની આવી શાળાઓને યોગ્ય ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે.

A classroom with a classroom with students raising their arms up | Premium  AI-generated image

રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર દર વર્ષે 31 જુલાઈના રોજ શિક્ષકોની સંખ્યા પણ નક્કી કરવામાં આવે છે. સરેરાશ, ગુજરાતની દરેક શાળામાં 35 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક હોય છે. જોકે, કેટલીક નાની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 60 થી વધુ હોય તો ત્રીજા શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 57 થી 59 ની વચ્ચે રહે છે. આવા કિસ્સામાં, જો શાળામાં પહેલાથી જ 3 શિક્ષકો હોય, તો જુલાઈમાં શાળા અન્ય કોઈ સરકારી કે ખાનગી શાળામાંથી બે કે ત્રણ વિદ્યાર્થીઓના લીવિંગ સર્ટિફિકેટ (Leaving Certificate) મેળવે છે અને તેમને ફક્ત કાગળ પર જ શાળામાં પ્રવેશ આપે છે. બાળક કે તેના માતા-પિતાને આ વાતની જાણ પણ હોતી નથી.

A classroom with many people raising their hands up in the air | Premium  AI-generated image

ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ માસમાં લીવિંગ સર્ટિફિકેટ જારી કરીને બાળકને શાળામાં ફરીથી પ્રવેશ આપવામાં આવે છે જ્યાં તે અભ્યાસ કરતો હતો. પરંતુ શિક્ષણ વિભાગ પહેલાથી જ 2024 માં થઈ શકે તેવી આવી હેરાફેરી માટે ઓનલાઈન ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (Online Child Tracking System) પર નજર રાખી રહ્યું હતું. રાજ્યભરની 1200 થી વધુ શાળાઓમાં આ રીતે બાળકોની પેપર પર હેરાફેરી કરવામાં આવી હતી. જેના આધારે શિક્ષણ વિભાગે દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને શાળાઓની યાદી મોકલીને સ્પષ્ટતા માંગવાનો નિર્દેશ આપ્યો છે. દરેક જિલ્લામાં DPEO એ TPO દ્વારા કાર્યવાહી કરી છે.

A classroom full of students sitting at desks | Premium AI-generated image

કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું છે કે જૂનાગઢ જિલ્લામાં આવી 54 શાળાઓ હોવાનું જણાતા ચકચાર મચી ગઈ હતી. ઓનલાઈન ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જાણવા મળ્યું કે જુલાઈમાં કેટલાક બાળકોએ શાળા છોડી દીધાના થોડા દિવસો પછી તે જ શાળાઓમાં ફરીથી પ્રવેશ મેળવ્યો હતો, આ પગલાથી રાજ્યભરની ઘણી નાની શાળાઓમાં શંકા ઉભી થઈ હતી અને તપાસમાં તે સાચું હોવાનું જાણવા મળ્યું હતું. પરિણામે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. બાળક કે તેના વાલીની જાણ વગર એક શાળામાંથી લીવિંગ સર્ટિફિકેટ મેળવીને બીજી શાળામાં પ્રવેશ મેળવવો અને પછી થોડા દિવસોમાં ત્યાંથી લીવિંગ સર્ટિફિકેટ મેળવીને મૂળ શાળામાં પ્રવેશ મેળવવો એ ત્યારે જ શક્ય છે જ્યારે બંને શાળાના આચાર્ય અને શિક્ષક સંમત થાય. પરિણામે, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ડમી શાળાઓ વિરૂદ્ધ શિક્ષણ વિભાગની લાલ આંખ, DEOની ટીમ સક્રિય

આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ, શિક્ષણ વિભાગનો તમામ DEOને પત્ર

આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં