રાજકોટઃ કાગવડમાં ખોડલધામમાં વહેલી સવારે મંગળા આરતી સાથે ખોડલમાતાની મૂર્તિ સાથે 20 દેવી દેવતાની મૂર્તીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમા લાખો માય ભક્તોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છેલ્લા 4 દિવસથી ઉજાવાઇ રહ્યો છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અંતિમ દિવસ છે. બાદમાં મંદિરના શિખર પર સોનાથી માઢાયેલા ધ્વજદંડ પર 52 ગજની ધજાનું રોહણ કરવામાં આવ્યું હતું. તેમજ 101 દિવાની 21 માતાજીની આરતીઓ ગાવામાં આવી હતી.