અમદાવાદઃ ગુજરાતના જાણિતા હાસ્ય લેખક તારક મહેતાનું 88 વર્ષની જેફ વયે તેમના અમદાવાદ ખાતેના નિવાસ્થાને લાંબી બિમારી બાદ મૃત્યું થયું હતું. તેમના મૃત્યુંની સાહિત્યા જગતમાં ગહેરા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તો બીજી તરફ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારક મહેતાને શ્રદ્ધાન્જલી આપતા તેમના સાથેનો એક ફોટો ટ્વીટ કરીને યાદ કર્યા હતા.
આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સહિતન રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.