Ahmedabad News: અમદાવાદમાં કમોસમી વરસાદના કારણે સ્મશાનમાં સૂકા લાકડા ખૂટી પડ્યાની ઘટના સામે આવી છે. તેના લીધે અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહમાં મોતનો મલાજો જળવાયો ન હતો. તેના કારણે અંતિમવિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ઉપલબ્ધ ન હોવાના કારણે મૃતકના કુટુંબીજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોહા મચી ગઈ છે. આના કારણે કુટુંબીજનોને અંતિમવિધિમાં ચાર કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો.
આના કારણે અકળાયેલા કુટુંબીજનોએ આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી. અગાઉ પણ સ્મશાનોમાંથી કૌભાંડ બહાર આવ્યા છે. તેમા ઓછા લાકડા આપીને વધુ ચાર્જ લેવાતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ સ્મશાનના લાકડા પૂરા પાડવાની એજન્સી પક્ષના કાર્યકરોની સંસ્થાને આપીને તેમને સાચવી લેવામાંઆવતા હોવાનો આરોપ મૂકાયો છે.
આના કારણે એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વિપક્ષ કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાનમાં ઉતરી છે અને તેણે જણાવ્યું હતું કે આ પ્રકારે લાકડા પૂરાપાડવામાં નિષ્ફળ જનારી એજન્સીને પહેલાં બ્લેકલિસ્ટ કરવી જોઈએ અને તેની સામે તેને કાર્યવાહી કરવી જોઈએ. તેની સાથે ભવિષ્યમાં પણ તેને આ પ્રકારના કોન્ટ્રાક્ટ ન આપવા જોઈએ. આ પ્રકારના સમયમાં મૃતકનું કુટુંબ જબરદસ્ત વેદનામાંથી પસાર થઈ રહ્યું હોય છે, આ સમયે મૃતકને બાળવા પૂરા લાકડા પણ ન મળે તો કુટુંબીજનોનો ગુસ્સો આકાશને આંબે તે સ્વાભાવિક છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે દરેક સ્થળે વેરા વસૂલતા તંત્ર પાસે લોકોની અંતિમવિધિ માટે પૂરાં લાકડા પણ નથી.
હાલની માહિતી મુજબ, આ ગંભીર ઘટનાની જાણ થયા પછી, આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્મશાનમાં બધી સુવિધાઓ ગોઠવવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કંપનીને નોટિસ ફટકારી, આ બેદરકારી માટે ખુલાસો માંગ્યો. જો કે, એવું પણ બહાર આવ્યું છે કે સ્મશાનમાં લાકડું હોવા છતાં, તે ભીનું હોવાથી તેનો અગ્નિસંસ્કાર માટે ઉપયોગ કરી શકાતો નથી.
આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો
આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
આ પણ વાંચો: Ahmedabad/ બાપુનગરમાં સતત બીજા દિવસે આત્મનિર્ભર લોનનું ફોર્મ લેવા માટે ઉમટી લોકોની ભીડ
