Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી આગ લાગવાના મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં દિવાળી ‘દિયા’ કાળ બની ગઈ હતી. મકાનમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ ઘટના કાનપુરના કાકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત પાંડુ નગરમાં બની હતી. સંજય શ્યામદાસાનીનો પરિવાર પાંડુ નગરના મકાન નંબર 117/187H1માં રહેતો હતો. દિવાળીની પૂજા બાદ પરિવારના સભ્યો મંદિરમાં દીવો પ્રગટાવીને સૂઈ ગયા હતા. ગુરુવારે રાત્રે ઘરના લાકડાના મંદિરમાં દીવાને કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.
ઘરમાં સૂઈ રહેલા પતિ સંજય શ્યામદાસાની અને તેની પત્ની કનિકા શ્યામદાસાનીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું, જ્યારે ઘરની નોકરાણી છવી ચૌહાણ દાઝી ગઈ હતી. પોલીસે ઘરની નોકરાણીને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેણીનું મૃત્યુ થયું. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ઘરમાં આગ લાગી ત્યારે આ લોકો ગાઢ નિંદ્રામાં હતા જેના કારણે તેઓ ઘરની બહાર નીકળી શક્યા ન હતા. પોલીસ તપાસ કરી રહી છે કે આગ દીવાથી લાગી કે અન્ય કોઈ કારણ હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચોઃબરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3ના મોત, 6 થી વધુ ઘાયલ, 4 ઓફિસર સસ્પેન્ડ
આ પણ વાંચોઃબિહારના આ જિલ્લામાં HIV એઈડ્સનો વિસ્ફોટ, 3583 દર્દીઓ મળી આવતા ખળભળાટ
આ પણ વાંચોઃઅમરાવતી સેન્ટ્રલ જેલમાં વિસ્ફોટ; દેશી બોમ્બ ફેંકાયો, પોલીસ તપાસ શરૂ
