જો તમે દેશની સૌથી મોટી બેંક SBI નાં ગ્રાહક છો, તો તમારા માટે બે મહત્વનાં સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકો માટે બે ચેતવણી સંદેશો જારી કર્યા છે. જણાવી દઇએ કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના તમામ ખાતાધારકોને એકાઉન્ટ સાથે અમુક દસ્તાવેજો જોડવા માટે નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે. SBI ખાતાધારકોએ તેમના PAN ને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવા પડશે. તેઓએ સપ્ટેમ્બરનાં અંત સુધીમાં આ કરવાનું છે.
આ પણ વાંચો – સુરેન્દ્રનગર / લીંબડીના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા વાલીઓએ પ્રાથમિક શાળામાં ઘેરાવ કર્યો
SBI એ ગ્રાહકોને મહિનાનાં અંત સુધીમાં તેમના PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવા કહ્યું છે. SBI એ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો તેઓ PAN ને તેમના આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવામાં નિષ્ફળ જાય છે તો તેમને બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. SBI એ ટ્વિટ કર્યું છે કે, “અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે કોઈપણ અસુવિધા ટાળવા અને અવિરત બેંકિંગ સેવાનો આનંદ માણવાનું ચાલુ રાખવા માટે તેમના PAN ને આધાર સાથે લિંક કરો.” SBI નાં ટ્વિટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો PAN અને આધાર લિંક નથી, તો PAN નિષ્ક્રિય થઈ જશે.
We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/bVGDbbYajX
— State Bank of India (@TheOfficialSBI) September 10, 2021
આ પણ વાંચો – Covid-19 / દેશમાં કોરોનાનાં કેસમાં થઇ રહ્યો છે સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 25,404 નવા કેસ
SBI એ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું છે કે, બેંકની ઓનલાઇન સેવાઓ લગભગ 120 મિનિટ માટે બંધ રહેશે. બેંકે કહ્યું કે 15 સપ્ટેમ્બરનાં રોજ બપોરે 12:00 થી 02:00 વાગ્યાની વચ્ચે લગભગ 120 મિનિટ સુધી મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #OnlineSBI #SBI pic.twitter.com/5SXHK20Dit
— State Bank of India (@TheOfficialSBI) September 14, 2021
આ સમય દરમિયાન ગ્રાહકોને ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો એસબીઆઇ, યોનો લાઇટ અને યુપીઆઇની સેવાઓ મળશે નહીં. જણાવી દઇએ કે, એસબીઆઈ પાસે કુલ 44 કરોડથી વધુ ગ્રાહકો છે. તેમાં પણ ઈન્ટરનેટ બેંકિંગ, યોનો અથવા યુપીઆઈ સાથે જોડાયેલા 200 મિલિયનથી વધુ ગ્રાહકો છે. SBI એ આ મેસેજ પોસ્ટ કરવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. કંપનીએ ટ્વિટ કર્યું, “અમે અમારા ગ્રાહકોને ભલામણ કરીએ છીએ કે તેઓ કોઈપણ અસુવિધા ટાળવા અને સીમલેસ બેંકિંગ સેવાનો આનંદ માણવા માટે તેમના PAN ને આધાર સાથે લિંક કરે.” એવું પણ કહેવામાં આવ્યું છે કે પાન-આધાર લિંકિંગ ફરજિયાત છે. જો કે, જે લોકો પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક નથી કરતા, તેમના આધાર કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે SBI ખાતાધારકો ઘણા નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં.
