Not Set/ દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતા દારૂનાં ઠેકા બહાર લોકોની લાગી લાંબી લાઈન

દિલ્હીમાં લોકડાઉનની ઘોષણા થતાં જ લોકોએ દારૂની દુકાનો બહાર લાંબી લાઈન લગાવવાની શરૂ કરી દીધુ છે. દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે….

Trending

દિલ્હીમાં લોકડાઉનની ઘોષણા થતાં જ લોકોએ દારૂની દુકાનો બહાર લાંબી લાઈન લગાવવાની શરૂ કરી દીધુ છે. દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, એક જાહેરાત થતા લોકોએ દારૂની દુકાનો પર ભારે ભીડ ઉભી કરી દીધી. લોકો એક-એક પેટી દારૂ અને બીયરની બોટલો ખરીદી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, આ હાલત માત્ર અહીંની જ નહીં, પરંતુ દરિયાગંજ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ આ જ સ્થિતિ દેખાઇ રહી છે. દારૂનાં ઢેકા બહાર મોટી સંખ્યામાં ભીડ સતત વધી રહી છે. દુકાનોની બહાર અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક સ્ટોર્સમાં, સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોની ધજ્જીયા ઉડાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દૃશ્ય પહેલા જેવા જ છે જ્યારે છેલ્લી વખત લોકડાઉન પછી દારૂની દુકાનો ખોલવામાં આવી હતી.

મહત્વની બેઠક / કોરોનાનાં વધતા કેસને જોતા PM મોદી આજે ડૉક્ટરો અને ફાર્મા કંપની સાથે કરશે સંવાદ

દિલ્હીમાં આ પહેલા રાજ્ય સરકારે વીકેન્ડ લોકડાઉનનું એલાન કર્યુ હતુ, જે શુક્રવારે સાંજથી સોમવાર સવાર સુધી લાગુ હતુ. પરંતુ હવે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયાનાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. લોકડાઉન 19 એપ્રિલ સોમવારે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં લોકડાઉન દરમિયાન ફક્ત જરૂરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને જ છૂટ મળશે. વળી, ફક્ત તબીબી, ફળો, શાકભાજી, દૂધની ડેરી અથવા કરિયાણાની વસ્તુઓથી સંબંધિત દુકાનો ખોલવામાં આવશે. આ જ કારણ છે કે દિલ્હીનાં ઘણા બજારોમાં ડરનાં કારણે લોકોની ભારે ભીડે ખરીદી શરૂ કરી દીધી છે.

કોરોના 2.0 / દિલ્હીમાં આજે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 સુધી એક સપ્તાહનું લોકડાઉન,મુખ્યમંત્રી કેજરીવાલે કરી જાહેરાત

આપને જણાવી દઇએ કે, દિલ્હીની તમામ સરકારી કચેરીઓ અને તમામ ખાનગી કચેરીઓ બંધ રહેશે. ફક્ત આવશ્યક ચીજો અને સેવાઓ સાથે જોડાયેલા દિલ્હી સાથેની ઓફિસ અને ખાનગી ઓફિસ અથવા પ્રતિષ્ઠાન ખુલ્લા રહેશે.વળી મેટ્રો અને બસો 50% ક્ષમતા સાથે કાર્યરત રહેશે, પરંતુ લોકડાઉન દરમિયાન ફક્ત તે જ લોકો મુસાફરી કરી શકશે જેમને લોકડાઉન દરમિયાન અવર-જવરની પરવાગની મળેલી હશે. ખાનગી મેડિકલ શોપ્સ જેવી કે ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ અને મેડિકલ સાથે સંકળાયેલા અન્ય લોકોને તેમનું આઈડીકાર્ડ બતાવી અવર-જવરની મંજૂરી આપવામાં આવશે. સગર્ભા સ્ત્રીઓ અથવા દર્દીઓને તેમના ઓળખકાર્ડ અથવા ડોક્ટરનાં પ્રિસ્ક્રિપ્શન બતાવીને અને મેડિકલ પેપર બતાવીને અવર-જવરની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ રસી લેવાનું અથવા ટેસ્ટ કરવા માંગે છે, તો તેમને પોતાનું ઓળખકાર્ડ બતાવીની મંજૂરી આપવામાં આવશે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અથવા બસ સ્ટેન્ડથી જતા અથવા આવતા લોકોને માન્ય ટિકિટ બતાવ્યા બાદ છૂટ મળશે. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ તેમનું આઈ-કાર્ડ બતાવ્યા બાદ અવર-જવરની પરવાનગી મળશે.