વહીવટીતંત્ર દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની પત્ની નીલમ અને પુત્ર નિતેશ સામે નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોનની ચુકવણી નહીં કરવાના કેસમાં લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવ્યા છે. પુણે પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. લુકઆઉટ પરિપત્ર એ એક નોટિસ છે જે વ્યક્તિને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકે છે. ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) શ્રીનિવાસ ઘાડગેએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે 3 સપ્ટેમ્બરે નીલમ રાણે અને નિતેશ રાણે સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે નીલમ રાણેની માલિકીની આર્ટલાઇન પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ (મુખ્ય ઉધાર લેનાર કંપની) એ DHFL (દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ) પાસેથી 25 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેમાં તે સહ-ઉધાર લેનાર છે, હવે કંપની પાસેથી રૂ. 27.13 કરોડ રૂપિયા લેવાના બાકી છે. ડેપ્યુટી કમિશનરે માહિતી આપી હતી કે તેવી જ રીતે નીતેશ રાણેની માલિકીની નીલમ હોટેલ્સે નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી હતી અને હવે તેની પાસે 34 કરોડ રૂપિયા બાકી છે.
તેમણે કહ્યું કે, બંને લોનને બિન ચુકવણીના કારણે DHFL દ્વારા નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ નાણાકીય સંગઠને તેમના ખાતા એનપીએ તરીકે જાહેર કર્યા બાદ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો અને કેન્દ્રએ રાજ્ય સરકારને સૂચનાઓ જારી કરી હતી, જેના પગલે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નારાયણ રાણે તાજેતરમાં એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કરી હતી.
અપીલ / લોકપાલના નિર્ણય સામે અપીલ કે સમીક્ષાની મંજૂરી આપવામાં આવશે નહી,કાયદામાં જોગવાઇ નથી
આદેશ / કોરોનાવાયરસની સારવાર માટે લાલ કીડીની ચટણીનો ઉપયોગ કરી શકાશે નહીંઃસુપ્રીમ કોર્ટે
