Odisha Train Accident/ રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય, ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરોને પણ મળશે વળતર

રેલવેએ વિભાગ કહ્યું કે જેઓ ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા તેઓને પણ ઓડિશામાં અકસ્માત પીડિતોમાં સામેલ કરવામાં આવશે. ટિકિટ વગરના મુસાફરોને પણ વળતર આપવામાં આવશે.

Top Stories India
2 1 રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય, ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરોને પણ મળશે વળતર

રેલવેએ વિભાગ કહ્યું કે જેઓ ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા તેઓને પણ ઓડિશામાં અકસ્માત પીડિતોમાં સામેલ કરવામાં આવશે. ટિકિટ વગરના મુસાફરોને પણ વળતર આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કરવામાં આવશે.રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, “યાત્રીઓ પાસે ટિકિટ હોય કે ન હોય, તેમને વળતર આપવામાં આવશે.” રેલ્વે બોર્ડના ઓપરેશન્સ મેમ્બર જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દરેક ઘાયલ મુસાફરની સાથે સ્કાઉટ અથવા ગાઈડ હોય છે, જે તેના નજીકના સંબંધીઓને શોધવામાં મદદ કરે છે.

જયા વર્મા સિન્હાએ કહ્યું કે હેલ્પલાઈન નંબર 139 પર રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે અને શક્ય તેટલા લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. “ઘાયલ અથવા મૃતકોના પરિવારના સભ્યો અમને ફોન કરી શકે છે અને અમે ખાતરી કરીશું કે તેઓ તેમને મળી શકે. અમે તેમની મુસાફરી અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખીશું,” તેમણે કહ્યું.

રેલવેએ એમ પણ કહ્યું હતું કે 139 સેવા અવિરત ચાલુ રહેશે અને રેલ્વે મંત્રી દ્વારા જાહેર કરાયેલ એક્સ-ગ્રેશિયાની રકમ – મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર ઇજાઓ માટે રૂ. 2 લાખ અને નાની ઇજાઓ માટે રૂ. 50,000 -ની ખાતરી કરવામાં આવશે.