Gandhinagar News/ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બનશે, 10 વર્ષમાં અંદાજે કુલ 2.06 લાખથી વધુ જગ્યાઓ ભરાશે; ઋષિકેશ પટેલ

સામાન્ય વહિવટ વિભાગ માટેની વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર, નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat
Yogesh Work 2025 03 10T204004.697 ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બનશે, 10 વર્ષમાં અંદાજે કુલ 2.06 લાખથી વધુ જગ્યાઓ ભરાશે; ઋષિકેશ પટેલ

Gandhinagar News : વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય વહીવટમાં પારદર્શિતા અને સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબધ્ધ છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-2024 થી 2033 માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અનુસાર આગામી 10 વર્ષમાં અંદાજે કુલ-2,06,991 જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું છે.

ગુજરાતમાં વહીવટી સંચાલનમાં રહેલી પારદર્શિતા, જવાબદારી અને સુલભતાને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતનાં નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતુ.

સેવા સેતુ કાર્યક્રમના દશમા તબક્કામાં મળેલ કુલ 17,65,604 અરજીઓમાંથી 17,65,595(99.99%) અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના વધુ કાર્યભારણને ધ્યાને લઈ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા અંગે વર્ષ 2025-26ના વર્ષે રૂ. 2.50 કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે.

લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટમાં સુધારાઓ કરવામાં આવેલ છે. હાલના સમયમાં વિકસિત ભારત@2047ના લક્ષ્યને સિધ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. જેના ભાગરૂપે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા, જાહેર સેવાઓને સુદ્રઢ બનાવવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ. વર્ષ 2025-26 ની સામાન્ય વહીવટ વિભાગની રૂ.399.88 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરચિત મહાનગરપાલિકાઓની સુવિધાઓ માટે રૂ.450 કરોડની જોગવાઈ અને PM આવાસ યોજનામાં 50 હજારનો વધારો કરાયો; મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: એકતા નગર ખાતે રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનું નિર્માણ થશેઃ મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: “નમો સખી સંગમ મેળા”ને પ્રથમ દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો: નિમુબેન બાંભણિયા