1984 નાં ભોપાલ ગેસ દુર્ઘટનાનાં પીડિતો માટે અવાજ ઉઠાવનારા સામાજિક કાર્યકર અબ્દુલ જબ્બારનું અવસાન થયું છે. લાંબી માંદગી બાદ ગત રાત્રીએ જબ્બારે અંતિમ શ્વાસ લીધા હતા. જબ્બારે ભોપાલ ગેસ ત્રાસદીમાં પોતાનું આખું જીવન ન્યાય માટે સમર્પિત કર્યું હતું, જે ભારતનાં ઇતિહાસમાં કાળા શાહીથી નોંધાયેલું છે. જણાવી દઇએ કે, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં જબ્બારનું અવસાન થયું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી જબ્બાર બીમાર હતા. ફેફસાની ફાઈબ્રોસિસની તકલીફને કારણે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તેમણે 50 ટકા જોવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક સંપત્તિમાં ભોપાલ ગેસ ત્રાસદીનું નામ છે. આ ત્રાસદીએ ઘણા ખરા લોકોનો જીવ લીધો છે અને કેટલા ઘરોને ઉજાડી દીધા છે. આ દુર્ઘટનામાં 15 હજારથી વધુ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
આ ઘટના 2 ડિસેમ્બર અને 3 ડિસેમ્બર 1984 નાં રોજ બની હતી, જેણે સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું હતું. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ પેસ્ટિસાઇડ પ્લાન્ટનાં હાનિકારક મિથાઇલ આઇસોસાઇનેટ ગેસનાં લીક થવાથી ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા. આ ભયજનક ગેસ લિકને કારણે મોટા પાયે ઔદ્યોગિક ક્ષેત્રની બેદરકારી છતી થઈ હતી.
1984 Bhopal Gas tragedy activist Abdul Jabbar passed away in Bhopal last night. (file pic) pic.twitter.com/IMx3wx6Zsc
— ANI (@ANI) November 15, 2019
જબ્બારે આ ત્રાસદીનો ભોગ બનેલા લોકોનાં પરિવાર માટે લાંબી લડાઇ લડી હતી. તેમણે ગેસ પીડિતોના પરિવાર અને બચેલા લોકોનાં વળતરની માંગણી માટે અનેક વિરોધ પ્રદર્શન કર્યા હતા. જબ્બાર ભોપાલ ગેસ પીડિતા મહિલા ઉદ્યોગ સંગઠનનાં કન્વીનર હતા. આ સંસ્થાએ સૌથી ખરાબ ઔદ્યોગિક વેપારીઓ અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે સુગમ કામ કર્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
