Jyotish News: સમુદ્રશાસ્ત્ર મુજબ શરીર પર તલના અલગ અલગ અર્થ હોય છે. આ તલ શુભ અને અશુભ બંને પ્રકારના હોઈ શકે છે. તે ભાગ્ય અને વ્યક્તિત્વ કેવું છે બંને પ્રકારના સંકેતો આપે છે. તલ સૌભાગ્ય અને સમૃદ્ધનો સંકેત આપે છે.
ચેહરા પર તલ
માથા પર તલ જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક મનાય છે. જે વ્યક્તિના માથા પર તલ હોય તેને ખૂબ સફળતા મળે છે. આવી વ્યક્તિના જીવનમાં રોમાન્સ ભરપૂર હોય છે. સંબંધો સારા રહે છે.
હાથ પર તલ
હથેળી પર તલ કામકાજમાં મોટી સફળતા અપાવે છે. ધન અને સફળતા ખૂબ જ મળે છે. આર્થિક રીતે વ્યક્તિ સદ્ધર રહે છે. ભાગ્યનો સાથ મળે છે.
ગળા અને છાતીના ભાગ પર તલ
જે વ્યક્તિને ગળે તલ હોય છે તે નેતૃત્વ કરી શકે છે. તેનામાં લીડરશીપના ગુણો ખૂબ જ ભરેલા હોય છે. તે બીજા લોકોને સરળતાથી પ્રભાવિત કરી શકે છે. જો વ્યક્થિને છાતી પર તલ હોય તો વ્યક્તિ ભાવુક અને સંવેદનશીલ હોય છે. બીજાની દેખભાળ કરી શકે છે અને દયાળુ હોય છે.
પીઠ અને પેટ પર તલ
આવી વ્યક્તિ પ્રતિભાવાન હોય છે. જો પેટ પર તલ હોય તો વ્યક્તિને ખૂબ ધન, સમૃદ્ધિ મળે છે. આવી વ્યક્તિ ખાવાની શોખીન હોય છે.
પગ અને પંજા પર તલ
જીવનમાં ખૂબ જ યાત્રા કરે છે. નવી જગ્યાએ જવું, તેના વિશે જાણવું, વગેરેનો શોખ હોય છે. જો પગના તળિયે તલ હોય તો વ્યક્તિ આધ્યાત્મિક હોય છે.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર