બુધવારે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટી (AAP)ની રાજકીય બાબતોની સમિતિ (PAC)ની બેઠક મળી. આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રીએ પાર્ટી ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠક આવતીકાલે, 25 ઓગસ્ટ સવારે 11 વાગ્યે યોજાશે, અને AAP નેતાઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓની કાર્યવાહી અને ધારાસભ્યો દ્વારા દિલ્હી સરકારને હટાવવાના કથિત પ્રયાસ અંગે ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના ધારાસભ્યોની આ બેઠક મુખ્યમંત્રી આવાસ પર યોજાશે.
બુધવારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે ભાજપ તેમના નેતાઓને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે ભાજપ દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
Delhi CM Arvind Kejriwal calls a meeting of all AAP MLAs at his residence at 11am tomorrow regarding the discussion on the current political scenario and ED, CBI raids on AAP leaders and BJP allegedly attempting to overthrow the Delhi government
(File Pic) pic.twitter.com/xJEodKyjf1
— ANI (@ANI) August 24, 2022
સંજય સિંહે પીએસીની બેઠક પહેલા દાવો કર્યો હતો કે, તેઓ (ચાર ધારાસભ્યો) જો ભાજપમાં જોડાય તો તેમને 20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને જો તેઓ તેમની સાથે અન્ય ધારાસભ્યોને લાવશે તો તેમને 25. કરોડ રૂપિયા આપવામાં આવશે. રાજ્યસભાના સભ્યએ કહ્યું, “તેઓએ (ભાજપ નેતાઓ) અમારા ધારાસભ્યોને કહ્યું કે જો તેઓ ભાજપમાં જોડાવાની ઓફર સ્વીકારશે નહીં, તો તેઓને પણ CBI અને ED (દિલ્હીના નાયબ મુખ્યમંત્રી) જેવા ખોટા કેસોનો સામનો કરવો પડશે. જેનો સામનો હાલ મનીષ સિસોદિયા સામનો કરી રહ્યા છે.
