Mumbai News/ અઢી વર્ષ અલગ રહ્યા બાદ અંતે યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના છુટાછેડા કોર્ટમાં મંજુર

ગુરુવારે, 20 માર્ચના રોજ, મુંબઈની Bandra Family Courtએ  છૂટાછેડા પર પોતાનો અંતિમ ચુકાદો આપ્યો

Top Stories Mumbai News India Breaking News
Beginners guide to 2025 03 20T161018.948 અઢી વર્ષ અલગ રહ્યા બાદ અંતે યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના છુટાછેડા કોર્ટમાં મંજુર

Mumbai News :  યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા અંદાજે અઢી વર્ષ સુધી એકબીજાથી અલગ રહ્યા બાદ અંતે તેમના સંબંધોનો અંત આવ્યો હતો.સ્ટાર ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેમની કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ છૂટાછેડા લીધા છે.  તેમના છૂટાછેડાની છેલ્લા ઘણા દિવસોથી અફવાઓ ચાલી રહી હતી, ત્યારબાદ બંનેએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. હવે ગુરુવાર, 20 માર્ચના રોજ, ફેમિલી કોર્ટે બંનેની છૂટાછેડાની અપીલ મંજૂર કરી દીધી છે. આ સાથે, તેમના લગ્ન 4 વર્ષ અને લગભગ 3 મહિના પછી સમાપ્ત થયા.

ગુરુવારે, 20 માર્ચના રોજ, મુંબઈની Bandra Family Courtએ  છૂટાછેડા પર પોતાનો અંતિમ ચુકાદો આપ્યો. આ સુનાવણી માટે ચહલ અને ધનશ્રી અલગ-અલગ પહોંચ્યા હતા. ચહલ તેના વકીલો સાથે પહેલા કાળો જેકેટ અને માસ્ક પહેરીને પહોંચ્યો. અને થોડી વાર પછી ધનશ્રી સફેદ ટી-શર્ટ પહેરીને આવી. તેણે ચહેરા પર માસ્ક પણ પહેર્યો હતો. આ સમય દરમિયાન, બંનેની પ્રતિક્રિયા જાણવા માટે મીડિયાની ભીડ એકઠી થઈ ગઈ પરંતુ કોઈએ કોઈ જવાબ આપ્યો નહીં.

ચહલ અને ધનશ્રીના લગ્ન 24 ડિસેમ્બર 2020 ના રોજ થયા હતા. જોકે, ત્રણ-ચાર મહિના પહેલા જ્યારે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા ત્યારે તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવવા લાગ્યા. ત્યારથી, સતત અફવાઓ ચાલી રહી છે પરંતુ ગયા મહિને જ છૂટાછેડાની કાર્યવાહી શરૂ થઈ હતી કે તેની પુષ્ટિ થઈ ગઈ હતી. બંનેએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં આ માટે અપીલ કરી હતી. બંનેએ 6 મહિનાના કૂલિંગ-ઓફ સમયગાળામાંથી મુક્તિની પણ માંગણી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

આ પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી અને કોર્ટે બુધવાર, 19 માર્ચે પોતાનો ચુકાદો આપતાં ફેમિલી કોર્ટને 20 માર્ચે મામલો ઉકેલવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટે બંનેને કૂલિંગ-ઓફમાંથી પણ મુક્તિ આપી હતી કારણ કે તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા અઢી વર્ષથી એકબીજાથી અલગ રહી રહ્યા છે. આ છૂટાછેડાના બદલામાં, ચહલે ધનશ્રીને ભરણપોષણ તરીકે 4.75 કરોડ રૂપિયા આપવાનો કરાર પણ કર્યો હતો, જેમાંથી 50 ટકા ભારતીય ક્રિકેટરે આપી દીધો છે અને બાકીનો ભાગ હવે ધનશ્રીને આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પતિની લાશને ડ્રમમાં નાખી અંદર સિમેન્ટ ભેળવીને ભરી પછી…

આ પણ વાંચો:પહેલા પ્રેમ લગ્ન, પછી પાડોશી સાથે પ્રેમ, પતિની હત્યા પછી મનાલીમાં હનીમૂન… મેરઠના ખૂની મુસ્કાનની કહાણી

આ પણ વાંચો:સાસુએ ખોલ્યું મુસ્કાનના ખૂની કાવતરાનું રહસ્ય, સાહિલે આ રીતે આપ્યો હતો સાથ