અમદાવાદ
અમદાવાદના અખબારનગર સર્કલ પર ફરી રોડનો વિવાદ સામે આવ્યો છે. રોડ પર ડામર ઓગળતા લોકો પરેશાન થઇ રહ્યા છે. રોડ પર ચાલતા લોકોના પગ ચીમકી જાય છે. સર્કલ પર લોકોના અસંખ્ય ચપ્પલ ચીપકેલા જોવા મળે છે. એટલુ જ નહીં વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાનો ભય પણ જોવા મળી રહ્યો છે.
ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અખબારનગર સર્કલ પર પહોંચી હતી અને આ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી બનાવેલ રોડનો પર્દાફાશ કર્યો હતો. જેના પગલે તંત્ર તાત્કાલિક જાગ્યું હતું અને રસ્તા પર માટી નખાવી હતી. એટલુ જ નહીં, જવાબદાર કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા.