@માનસી પટેલ, અમદાવાદ
રાજ્યમાં વેકસીનેશન ની શરૂઆત કરવામાં આવ્યું. જેની અંદર કલેકટર પોલીસ કમિશનર અને ડીડીઓ એ બીજો ડોઝ લીધો હતો. સિનિયર સીટીઝન માટે પણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું.
કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેકીસીન એક રામબાણ ઈલાજ સમાન છે. સૌપ્રથમ વેકસીન આરોગ્યકર્મીઓને વેકસીન આપવામાં આવી હતી. એક વર્ષ સુધી લોકો ની સેવા કરતા લોકો અને દર્દીઓ ની સેવા કરતા આરોગ્યકર્મીઓ બાદ પોલીસ ને પણ વેકસીન આપવામાં આવી હતી. 28 દિવસ પૂર્ણ થતાં તમામ લોકો ને ફરી વાર બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કલકેટર સંદીપ સાગલે, ડીડીઓ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્ત અને અધિકારીઓ એ વેકસીન નો બીજો ડોઝ લીધો હતો. વેકસીન ની આડ અસર ના હોવાનું અને લોકો વેકસીન લે તેવી અપીલ કરવામાં આવી હતી.
સુવિધા / PM મોદીએ કહ્યું – દેશમાં બીજી કૃષિ ક્રાંતિની જરૂર છે, ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધેએ સમયની માંગ છે
અમદાવાદ ની કોર્પોરેશન અને સિવિલ મળી ને 135 વેકસીનેશન સાઇટો બનાવવા માં આવી છે. આ સાઇટો માં પ્રથમ અને બીજો ડોઝ આપવામા આવ્યો છે. આ સિવાય 14 ખાનગી હોસ્પિટલમાં પણ 250 રૂ માં સિનિયર સિટીઝનો ને પણ વેકસીન આપવામાં આવી હતી. અમદાવાદ માં કોરોના સંક્રમણ વધ્યું છે તેવા માં વેકસીન એક આશા નું કિરણ છે એ અને લોકો કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે સરકારે વેકસીનેશન શરૂ કર્યું છે.
ભાવ વધારો / ગૃહિણીની વધી ચિંતા, LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો ભાવ વધારો