કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારા બીલ રજુ કરવામાં આવ્યું છે. તેનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જે અનુસંધાને આજ રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નાગરિકતા સુધારા બીલ મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને આજે પાલડી કોચરબ ખાતે આ કાર્યકર્મ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ ના નેતા અને કાર્યકર્તાઓ હાથમાં બેનેર સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, પ્રદેહ્સ પ્રમુખ અમિત ચાવડા, સિધાર્થ પટેલ વિગેરે હાથમાં બેનર સાથે ધરના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
