Hyderabad/ CM યોગીના હૈદરાબાદ પ્રવાસને લઈ ઓવૌસીએ કર્યા પ્રહારો, કહ્યું -હું ન તો ચા વાળાથી ડરું છું, ન તો…

એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદ સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં યુપીના સીએમ યોગીની મુલાકાત પહેલાં ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે.

Top Stories India

એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદ સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં યુપીના સીએમ યોગીની મુલાકાત પહેલાં ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. જાહેર સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે ના તો હું કોઈ ચા વાળાથી ડરું છું. ના તો યોગીથી. અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું કલમા પઢનાર મુસલમાન છું.

આ પણ વાંચો : PM મોદી પુના જવા રવાના, અમદાવાદમાં કોરોના વેક્સીનનું કર્યું નિરીક્ષણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે હૈદરાબાદમાં નાગરિક ચૂંટણી પ્રચાર માટે પ્રચાર કરી રહ્યા છે. કેરળ, કર્ણાટક, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશની સાથે બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરનાર યોગી આદિત્યનાથે હવે હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કર્યો છે.

યુપીના અતિરિક્ત મુખ્ય સચિવ (માહિતી) નવનીત સહગલે ગુરુવારે ‘ભાષા’ ને કહ્યું કે યોગી 28 નવેમ્બરના રોજ એક દિવસની મુલાકાતે હૈદરાબાદ જશે. ત્યાં તેઓ રાજકીય રેલીને સંબોધન કરશે.

આ પણ વાંચો :દિલ્હીમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા નવા કેસ, 98 દર્દીઓનાં મોત

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) ની ચૂંટણીઓ 1 ડિસેમ્બરે યોજાશે. ટીઆરએસ શાસિત 150 સભ્ય જીએચએમસી માટે 1 ડિસેમ્બરે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મહામારીને ધ્યાનમાં રાખીને, મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. મતગણતરી 4 ડિસેમ્બરે થશે. વર્તમાન સ્થાનિક સંસ્થાની મુદત 10 ફેબ્રુઆરી 2021 સુધી છે. પાર્થસારથીએ કહ્યું કે રાજ્ય સરકારે 2016 ની ચૂંટણીમાં પણ આ વખતે લાગુ અનામત ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મેયર પદ મહિલા (સામાન્ય) માટે અનામત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…