વૈશાખ મહિના ની શુક્લ પક્ષ તૃતીયા તિથી સાથે જ અક્ષય તૃતીયા નો તહેવાર ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર ભગવાન પરશુરામ નો જન્મ થયો હતો. શાસ્ત્રો માં ઋષિ પરશુરામ ને ભગવાન વિષ્ણુ નો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. એની સાથે જ એવી માન્યતા છે કે ઋષિ પરશુરામ આજે પણ આ દુનિયા માં જીવિત છે. ભગવાન પરશુરામ ને ભગવાન શિવ ના ભક્ત માનવામાં આવે છે.

ઋષિ પરશુરામ નો જન્મ ભગવાન શ્રી રામ ના જન્મ થી પહેલા થયો હતો, એનો જન્મ વૈશાખ શુક્લ તૃતીયા ના દિવસે રાતે થયો, એવું માનવામાં આવે છે કે એના જન્મ ના સમયે સતયુગ અને ત્રેતા નો સંધિકાળ હતો. ભગવાન પરશુરામ ના ગુસ્સાથી ભગવાન ગણેશ પણ બચી શક્યા ન હતા, બ્રહ્મવૈવર્ત પુરાણ ની અનુસાર, જયારે પરશુરામજી ભગવાન શિવ ના દર્શન કરવા માટે કૈલાશ પર્વત ગયા તો ભગવાન ગણેશજી એ એને ભગવાન શિવ સાથે મળવા માટે રોક્યા હતા જે કારણ થી ગુસ્સામાં આવીને એમણે એમના સાધન થી ભગવાન ગણેશ નો એક દાંત તોડી નાખ્યો હતો.

પરશુરામ ભગવાન ને શિવજી ના અનન્ય ભક્ત માનવામાં આવે છે. પરશુરામ ભગવાનએ ધરતી પર ૨૧ વાર ક્ષત્રીયો નો સંહાર કર્યો હતો. માન્યતા છે કે આ દિવસ થી સતયુગ ની શરૂઆત થઇ હતી.
મહાભારત અને રામાયણ બે યુગો ની ઓળખ છે. રામાયણ ત્રેતાયુગ માં અને મહાભારત દ્વાપર માં થયુ હતું. પુરાણો ની માન્યતા અનુસાર એક યુગ લાખો વર્ષો નો હોય છે. એવા માં જોઈએ તો ભગવાન પરશુરામ એ માત્ર શ્રી રામ લીલા જ નહી પરંતુ મહાભારત નું યુદ્ધ પણ જોયું.

ભગવાન પરશુરામજી ની માતા નું નામ રેણુકા અને પિતા નું નામ જમદગની ઋષિ હતો. એમણે પિતા ની આજ્ઞા પર એમની માતા નું વધ નાખ્યું હતું. જેના કારણે એને માતૃ હત્યા નું પાપ લાગ્યું, જે ભગવાન શિવ ની તપસ્યા કર્યા પછી દુર થયું. ભગવાન શિવ એ એને મૃત્યુલોક ના કલ્યાણાર્થ પરશુ અસ્ત્ર પ્રદાન કર્યું, જેના કારણે તે પરશુરામ કહેવાયા.
