Not Set/ પાટડી શક્તિમાતા મંદિર દ્વારા પાટડીના તમામ દુકાનદારોને પ્રસાદીરૂપે શ્રીફળ આપવામાં આવ્યા

પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો

Gujarat
Untitled 207 પાટડી શક્તિમાતા મંદિર દ્વારા પાટડીના તમામ દુકાનદારોને પ્રસાદીરૂપે શ્રીફળ આપવામાં આવ્યા

શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નિડર અને પ્રતિભાવંતી પુત્રી હતી. એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતાં. સુવર્ણકાળમાં વિ.સં.1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા)વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતું.

આજે કારતક સુદ-11ના રોજ ઝાલાકૂળના આદ્યસ્થાપક શક્તિમાતાનો 946મો સ્થાપના દિવસ છે. આથી પાટડી શક્તિમાતાના મંદિરને ફુલોથી અનોખી રીતે શણગારવાની સાથે બપોરે શક્તિમાતાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા મંદિરમાં ભવ્ય હવનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. પાટડી શક્તિમાતા મંદિર દ્વારા પાટડીના તમામ દુકાનદારોને પ્રસાદીરૂપે શ્રીફળ આપવામાં આવ્યા હતા. પાટડી અને ધામા શક્તિધામમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ. સમગ્ર ગુજરાતભરમાંથી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો શક્તિધામ પાટડી અને ધામાના દર્શને ઊમટ્યા હતા.

પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતુ અને દિ’ ઉગતા પહેલા છેલ્લુ તોરણ દિગડીયા ગામેં બાધ્યું હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા. બિસંતીદેવી પ્રતાપસિંહ સોલંકીનાં કુંવરી હતા.અને જ્યારે તેઓ હરપાળદેવને વર્યા ત્યારે શરત રાખી હતી કે, પોતાનું અસલ દૈવીસ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહિંથી વિદાય લેશે.

વિ.સં. 1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતું. ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13ના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હ‍ાથમ‍ાં તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે.

પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતુ એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતા આજે પણ પાટડીમાં અડીખમ ઉભા છે. આજે કારતક સુદ 11ના રોજ ઝાલાકૂળના આદ્યસ્થાપક શક્તિમાતાનો 946મો સ્થાપના દિવસ છે. આથી પાટડી શક્તિમાતાના મંદિરને ફુલોથી અનોખી રીતે શણગારવાની સાથે બપોરે 12 કલાકે છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા મંદિરમાં ભવ્ય હવનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. પાટડી શક્તિમાતા મંદિર દ્વારા પાટડીના તમામ દુકાનદારોને પ્રસાદીરૂપે શ્રીફળ આપવામાં આવ્યા હતા. પાટડી અને ધામા શક્તિધામમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ. સમગ્ર ગુજરાતભરમાંથી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો શક્તિધામ પાટડી અને ધામાના દર્શને ઊમટ્યા હતા.