Tandav/ વધતા વિરોધ વચ્ચે ‘તાંડવ’ ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે માંગી માફી, કહી આ વાત

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં તેની તાજેતરની રિલીઝ થયેલી સીરીઝ ‘તાંડવ’ માટે ચર્ચામાં છે. આ વેબ સિરીઝને દલિત અને હિન્દુ વિરોધી ગણાવી રહી છે.

Entertainment

સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવને લઈને હાલાકીનો માહોલ વચ્ચે એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. વેબ સીરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરએ જાહેરમાં માફી માંગી છે. તેના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું છે કે ‘અમે વેબ સિરીઝ તાંડવને લઈને દર્શકોની પ્રતિક્રિયાઓ પર નજર રાખી રહ્યા છીએ. સોમવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથેની બેઠક દરમિયાન, વેબ સીરીઝના વિવિધ પાસાં અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડતી સામગ્રી વિશે મોટી સંખ્યામાં ફરિયાદો મળી છે.

મહત્વની વાત એ છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં તેની તાજેતરની રિલીઝ થયેલી સીરીઝ ‘તાંડવ’ માટે ચર્ચામાં છે. આ વેબ સિરીઝને દલિત અને હિન્દુ વિરોધી ગણાવી રહી છે. આવી સ્થિતિમાં રવિવારે ભાજપના સાંસદ મનોજ કોટકે માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરથી સૈફની આ વેબ સીરીઝનો બહિષ્કાર કરવા માંગ કરી છે. તેમણે તાંડવ પર હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે.

એમેઝોન પ્રાઈમના અધિકારીઓને મોકલ્યું સમન્સ

જે બાદ ભાજપના ધારાસભ્ય રામ કદમએ તાંડવ  સામે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. પોતાની ફરિયાદમાં તેણે સૈફની આ વેબ સિરીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે અને એમ પણ કહ્યું છે કે ફિલ્મના નિર્દેશક, નિર્માતા અને અભિનેતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ પછી, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પ્રાઇમ વીડિયોના અધિકારીઓને નોટિસ મોકલી છે.

રામ કદમનું માનવું છે કે ભગવાન શંકરની તસ્વીરની મજાક ઉડાવવામાં આવી છે અને તેણે અભિનેતા મુહમ્મદ ઝિશન અયુબ પાસે માફી માંગવાની માંગ પણ કરી છે. તેમના પત્રમાં, તેમણે પ્રકાશ જાવડેકર સાથે વિનંતી કરી છે કે જ્યાં સુધી આ વેબ સિરીઝમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આ સિવાય તેમણે એમ પણ લખ્યું છે કે જે રીતે ફિલ્મોમાં સેન્સર બોર્ડ હોય છે, તે જ રીતે ઓટીટી પ્લેટફોર્મ પર પણ આવા સેન્સર હોવા જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો