Not Set/ અમિત શાહને શપથનાં 18 કલાક માં જ મળ્યું પ્રમોશન, જાણો કઇ રીતે ?

પેલી કહાવત છે ને કે “મહેનતનાં ફળ મીઠાં જ હોય”. બસ આવુ જ કઇક અમિત શાહ સાથે પણ થતું જોવા મળી રહ્યું છે. જી હા અમિત શાહને શપથનાં 18 કલાક માં જ પ્રમોશન મળ્યું છે. અને પ્રમોશન મળતા આ કહાવત, શાહ પર બરોબર ફિટ પણ બેસે છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજ્ય અપાવવા […]

Top Stories Gujarat India Others

પેલી કહાવત છે ને કે “મહેનતનાં ફળ મીઠાં જ હોય”. બસ આવુ જ કઇક અમિત શાહ સાથે પણ થતું જોવા મળી રહ્યું છે. જી હા અમિત શાહને શપથનાં 18 કલાક માં જ પ્રમોશન મળ્યું છે. અને પ્રમોશન મળતા આ કહાવત, શાહ પર બરોબર ફિટ પણ બેસે છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજ્ય અપાવવા માટે અમિત શાહ દ્રારા દિવસ-રાત એક કરી દેવામાં આવ્યા હતા. આપને જાણ હશે કે ચૂંટણીમાં PM મોદી કરતા પણ વધુ રેલી અને સભાઓ અમિત શાહે સંબોધી હતી. તો ચૂંટણી માટે સૌથી વધુ પ્રવાસો પણ શાહે જ ખેડ્યા છે. અને તેની અથાગ મહેનતનું ફળ પણ તેને મળ્યું છે. કેવી રીતે…..

આશ્ચર્ય સર્જવામાં અને ઝટકો આપવામાં PM મોદીને મહારત હાસલ છે. આ વાત તો પાંચ વર્ષમાં પૂરો દેશ જાણી ચૂક્યો છે. અને આવું જ કાંઇક PM દ્રારા ખાતાની ફાળવણી કરવામાં પણ સાબિત કરી બતાવ્યું. જી હા કહી શકાય કે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપનો જ્વલંત જીત આપાવવાનાં ઇનામ તરીકે અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. અને ગૃહ મંત્રાલય અટલે ભારત સરકારમાં PM બાદનું નંબર – 2 સ્થાન ગણવામાં આવે છે. અમિત શાહ દ્રારા 3જા સ્થાને શપથ ગ્રહણ કરવામાં આવતાની સાથે જ અમિત શાહને ગૃહ મંત્રાલય નહીં સોંપવામાં આવે તોવી અટકળો શરૂ થઇ ગઇ હતી. પરતું મોદી હે તો, સબ મુમકીન હે.

અમિત શાહને ગૃહમંત્રાલય સોંપવામાં આવતા ગુજરાત સમયની CM-HMની જુગલબંધી હવે રાષ્ટ્રીય રાજકારણમાં પણ PM-HMની જુગલબંધીનાં રૂપમાં જોવા મળશે.