અમરેલીમાં તસ્કરો બેફામ બન્યા છે. અવારનવાર ઠેક ઠેકાણે દુકાનોના તાળા તાતી રહ્યા છે. અમરેલીમાં તસ્કરોએ તરખરાટ મચાવ્યો હતો. ત્યારે લાઠી રોડ પર અજાણ્યા શખ્સોએ એક સાથે ત્રણ દુકાનો ને તાળા તોડયા હતા.
જેમાં રાધે ટ્રેડર્સ, રામ ટ્રેડિંગ, મિલન ટી ટ્રેડર્સના તાળા તોડયા હતા. જેમાં રામ ટ્રેડિંગ નામની દુકાનમાં તો દીવાલ તોડીને તાળા તોડી નાખ્યા હતા તેમજ સેક્સન ના ગ્લાસ પણ તોડી નાખ્યા હતા. આ બનાવ અંગે હજી સુધી વેપારીઓ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. વેપારીઓનો સંપર્ક સાધતા વેપારીઓ એ વધુમાં જણાવ્યું હતું કે, અહીં આ શ્રીનાથજી ચેમ્બરમાં વારંવાર ચોરીના બનાવો બને છે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવું ખૂબ જ જરૂરી છે….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
