Ahmedabad News/ અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત

અમદાવાદમાં મોડી રાત્રે એસ જી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતા……..

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરના એસ જી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

અમદાવાદમાં મોડી રાત્રે એસ જી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. અકસ્માત કઈ રીતે સર્જાયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે

આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ