જ્યારે તમે વધારાના ફાઇબર માટે સફરજન ખાવો છો, તો યાદ રાખો કે તમે લગભગ 100 મિલિયન બેક્ટેરિયા ગળી જઈ રહ્યા છો. અને આ બેક્ટેરિયા હાનિકારક અથવા ફાયદાકારક હોઇ શકે છે, પણ તે સફરજન કેવી રીતે ઉગાડ્યું તેના પર નિર્ભર રહેશે. સંશોધનકારો કહે છે કે મોટાભાગનાં બેક્ટેરિયા સફરજનમાં હોય છે, પરંતુ તે તમે કયા પ્રકારનું સફરજન ખાઇ રહ્યા છો તેના પર નિર્ભર કરે છે. તેઓ કહે છે કે, જૈવિક રીતે ઉગાડવામાં આવતા સફરજનમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા સફરજનની તુલનામાં જુદા જુદા પ્રકારનાં અને સંતુલિત બેક્ટેરિયા હોય છે જે તેમને આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવે છે.

આસ્ટિયાની ગ્રેજ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીનાં પ્રોફેસર ગ્રેબ્રિયલ બર્ગે કહ્યું કે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ ખોરાક દ્વારા આપણા આંતરડામાં પહોંચે છે. તેમાના મોટાભાગનાં રસોઈ દરમિયાન માર્યા જાય છે, તેથી ફળો અને કાચા શાકભાજી આંતરડામાં બેક્ટેરિયાનાં મહત્વપૂર્ણ સ્રોત છે.

બેગે કહ્યું, દરેક સફરજનનાં ઘટકોને એકસાથે મૂકવા પર, અમે અંદાજ કાઠ્યો છે કે, 240 ગ્રામ સફરજનમાં લગભગ 100 મિલિયન બેક્ટેરિયા હોય છે. મોટાભાગનાં બેક્ટેરિયા બીજમાં જોવા મળ્યા હતા અને બાકીનાં મોટા ભાગનાં ફ્લેશમાં હતા. તેથી જો તમે બીજ ભંડોળને દૂર કરો છો, તો તમારા ખોરાકમાં બેક્ટેરિયાની સંખ્યામાં 1 કરોડનો ઘટાડો થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
