સપ્ટેમ્બર મહિનો ઓટો સેક્ટર માટે નબળો સાબિત થયો છે. જ્યારે ટોયોટા કિર્લોસ્કર મોટર તેના કાયમી કામદારોને સ્વૈચ્છિક નિવૃત્તિ એટ્લે કે VRS લેવાનું કહી રહ્યું છે. અગાઉ અપેક્ષા રાખવામાં આવી હતી કે તહેવારની સિઝનમાં ઓટો સેક્ટરમાં ઓટોના વેચાણમાં ઉછાળો આવશે, પરંતુ અપેક્ષા મુજબ કોઈ જ ઉછાળો જોવા મળ્યો નથી.
ચાર કંપનીઓએ જાહેરાત કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, જાપાનની ટોયોટા મોટર કોર્પોરેશનની ભારતીય સહાયક કંપની, ટોયોટા કિર્લોસ્કર મોટર, તેના કર્મચારીઓ માટે વીઆરએસ અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના રજૂ કરનારી ચોથી કંપની બની છે. આ અગાઉ જનરલ મોટર્સ, હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ બે મહિના પહેલા વીઆરએસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
કાયમી કર્મચારીઓને ઓફર આપવામાં આવે છે
કંપનીએ આ યોજના ગત 23 ઓક્ટોબરના રોજ શરૂ કરી હતી, જે 22 ઓક્ટોબર, 2019 થી શરૂ થઈ હતી. આ યોજનામાં તે લોકો શામેલ છે જે કાયમી કર્મચારી છે અને કંપનીમાં પાંચ વર્ષથી વધુ કાર્યકારી અનુભવ ધરાવે છે. જોકે કંપનીએ હંગામી કર્મચારીઓ માટે હજી સુધી કોઈ યોજના શરૂ કરી નથી, તેમ છતાં કંપનીનું કહેવું છે કે તેમના કરારને રિન્યૂ કરવામાં આવશે નહીં.
ઓપરેશન ખર્ચ નીચે આવશે
આ અગાઉ ઓગસ્ટમાં, અશોક લેલેન્ડ પણ તેના કર્મચારીઓ માટે વીઆરએસ યોજના શરૂ કરી હતી અને વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. જેના પછી ટુ-વ્હીલર બનાવતી હિરો મોટોકોર્પ દ્વારા સપ્ટેમ્બરમાં તેના કર્મચારીઓ માટે વીઆરએસ યોજના શરૂ કરી હતી. તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે કંપનીઓ મુખ્યત્વે કર્મચારીઓ માટે આવી યોજનાઓ લાવે છે જેથી ઓપરેશન ખર્ચ ઓછો થાય અને તેમનો નફો વધે.
કંપની અને કર્મચારીઓ બંને માટે ફાયદાકારક છે
તે જ સમયે, વીઆરએસ યોજના નોકરીદાતાઓ તેમજ કર્મચારીઓ માટે પણ એકદમ ફાયદાકારક છે. નિષ્ણાંતો કહે છે કે આ યોજના કોઈપણ કર્મચારીઓને વધુ ફાયદાકારક છે. આવા પગલાં લઈને, કંપનીઓ પોતાના ખર્ચા તો ઘટાડે જ છે પણ સાથે સાથે કર્મચારીઓને પણ આવા પગલાથી ફાયદો થાય છે. જેથી તેઓ વાહનના ઓછા વેચાણને કારણે તેમના ઓપરેશનલ ખર્ચ અને માર્જિનને સંતુલિત કરી શકે.
આ વર્ષના પ્રથમ છ મહિનામાં, ટોયોટા કિર્લોસ્કરના ઉત્પાદનમાં 37%, હીરો મોટોકોર્પના ઉત્પાદનમાં 36% નો ઘટાડો થયો છે. આ સિવાય, એપ્રિલથી સપ્ટેમ્બર 2019 વચ્ચે, અશોક લેલેન્ડે ઉત્પાદનમાં 18 ટકાનો ઘટાડો કર્યો છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
