કાશ્મીરના પુલવામામાં હુમલો કરનાર આતંકવાદી મસુદ અઝહરની પાકિસ્તાની આતંક નિરોધી કોર્ટે ટેરર ફંડિગનાં ઓરોપો હેઠળ ધરપકડમાટેનું વોરન્ટ જારી કર્યું છે અને આજ સુધીમાં મસુદ અઝહરને કોર્ટમાં રજૂ કરવાના આદેશ આપ્યા છે.

કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક બેઠક, પ્રશ્નનો હલ લાવશે ખરા…
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુસાર કોર્ટે જેઇએમનાં કેટલાક સભ્યો વિરૂધ્ધ પોલીસનાં આતંક વિરોધી વિભાગ દ્વારા શરૂ કરાયેલા ટેરર ફંડિંગ કેસની સુનાવણી દરમિયાન વોરન્ટ જારી કર્યું છે. ઉલ્લેખનિય છે કે મે 2019માં યુએનએ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. જસ્ટિસ નતાસા નસીમ સુપ્રાએ મસુદ અઝહર માટે ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. સીટીડીનાં જસ્ટિસે જણાવ્યું કે, જેઇએમ વડાની ટેરર ફંડિગમાં સાંઠગાંઠ હતી અને તે જેહાદી સાહિત્ય વેચે છે આથી તેની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કરાયુ છે.

Rajkot / વાંકાનેરની સિરામિક ફેકટરી setmax માંથી મળ્યો બૉમ્બ, સ્ક્વોડન…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
