Junagadh News : જુનાગઢના વિજાપુર ખાતે સરપંચ પર હુમલાના બનાવને પગલે ચકચાર મચી ગઈ છે. સરપંચ ઉપર ભાલા અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ચાર શખ્સોએ સરપંચ પરેશ મોરવાડીયા પર તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં અગાઉના મનદુખને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે ચાર હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.તે સિવાય આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશન વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: દેશમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન રજૂ કરવા જઈ રહેલું ગુજકોમાસોલ
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો
આ પણ વાંચો: ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી જૂનાજોગી દિલીપ સંઘાણીની વરણી
