ટિકરી બોર્ડર બાદ હવે લગભગ 11 મહિના બાદ દિલ્હી પોલીસે શુક્રવારે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનાં વિરોધ સ્થળ પર લગાવેલા બેરિકેડ્સને હટાવવાનું શરૂ કર્યું છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સરકાર તરફથી આદેશ છે, તેથી અમે બેરિકેડિંગ હટાવીને રસ્તો ખોલી રહ્યા છીએ. ગાઝીપુર બોર્ડર પર ગાઝિયાબાદથી દિલ્હી જતી લેન પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલ બેરિકેડિંગ આજે હટાવી દેવામાં આવી છે. એક્સપ્રેસ વે પર આ લેન પર 11 મહિનાથી ટ્રાફિક બંધ છે.
આ પણ વાંચો – Covid-19 / તહેવારોની સીઝનમાં બેદરકારીથી બચો! વિશ્વનાં અનેક દેશમાં કોરોનાનો ઉથલો
દિલ્હીનાં DCP (પૂર્વ) પ્રિયંકા કશ્યપે જણાવ્યું કે, આ સેક્ટર-2 અને 3 છે. તે NH9 છે, અમે તેને ખોલી રહ્યા છીએ. NH 24 પણ ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્રનાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલનને કારણે આ રસ્તો લાંબા સમયથી બંધ હતો. આ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર ઉભેલા ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, વડાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતો પોતાનો પાક ગમે ત્યાં વેચી શકે છે. જો રસ્તા ખુલશે તો અમે અમારો પાક વેચવા સંસદમાં પણ જઈશું. પહેલા અમારા ટ્રેક્ટર દિલ્હી જશે. અમે રસ્તો રોક્યો નથી. રોડ જામ અમારા વિરોધનો ભાગ નથી. અમે આગળની યોજના બનાવીશું અને તમને જણાવીશું. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનાં થોડા દિવસો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન, ખેડૂત સંગઠનોએ કોર્ટને કહ્યું હતું કે તેઓએ કોઈ રસ્તો રોક્યો નથી, દિલ્હીની સરહદો પર પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.
#WATCH | Removal of Police barricading at Tikri (Delhi-Haryana) border underway. The barricading is also being removed from Ghazipur (Delhi-Uttar Pradesh) border.
Farmers' agitations against the three farm laws have been going on at these borders. pic.twitter.com/GrC3G7Vnze
— ANI (@ANI) October 29, 2021
આ પણ વાંચો – World / તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત
નોંધપાત્ર રીતે, દિલ્હી પોલીસે ગુરુવારે રાતથી ટિકરી બોર્ડર પરનાં બેરિકેડ્સને હટાવવાનું શરૂ કર્યું, જ્યાં ખેડૂતો કેન્દ્રનાં ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આગામી દિવસોમાં એક એક માર્ગ ખુલ્લો કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે ટિકરી બોર્ડર પરનાં આઠ લેવલ બેરિકેડમાંથી ચારને હટાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સિમેન્ટનાં બેરિકેડ હજુ પણ છે અને મુસાફરોની અવર-જવર માટે રસ્તો બંધ છે.
