બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે વસ્તી ગણતરી આપણા હાથમાં નથી પરંતુ જેટલી વસ્તી છે તેના પ્રમાણે અનામત મળવું જોઈએ. બિહારની રાજકીય લડાઇમાં પણ અનામત આવી ગયું છે. સીએમ નીતીશ કુમારે વસ્તી અનુસાર અનામતની હિમાયત કરી છે. તેમનું કહેવું છે કે તેઓ હંમેશાંથી આવા જ વિચારો ધરાવે છે અને મને છે કે, દરેક જાતિઓને તેમની વસ્તી પ્રમાણે અનામત મળવી જોઈએ.
નોંધપાત્ર વાત એ છે કે બિહારની લડાઇમાં દરેક પક્ષ મત માટે ભારે પ્રયાસ કરી રહ્યા છે. રોજગાર, કાયદો અને વ્યવસ્થા અને કૌભાંડોને લગતા દરેક પ્રશ્નોની જોરદાર ચર્ચા થઈ રહી છે, પરંતુ હવે નવા રાજકીય દાવપેચ અજમાવવાનો વારો આવ્યો છે અને આ બધામાં નીતીશ કુમારે અનામતનો દાવ ખેલ્યો છે.
વાલ્મીકિનગરમાં નીતીશ કુમારે કહ્યું કે જાતિઓને વસ્તી પ્રમાણે અનામત મળવી જોઈએ. હકીકતમાં, વાલ્મિકી નગરમાં થરુ જાતિના ઘણાં મત છે અને આ જાતિને આ જનજાતિમાં જોડાવાની માંગ ઉઠાવી રહી છે. તેનું સમર્થન કરતાં નીતીશે કહ્યું કે વસ્તી ગણતરી તેમના હાથમાં નથી. રંતુ અમે વસ્તી અનુસાર લોકોને અનામત આપવા માંગીએ છીએ. અમારા આમાં બે મંતવ્યો નથી.
સાવધાન / ભવિષ્યમાં હજુ પણ વધુ ખતરનાક રોગચાળા આવી શકે છે, વિશ્વમાં 8 લ…
સીએમ નીતીશ કુમારે એમ પણ કહ્યું હતું કે તેઓ અટલ સરકારમાં મંત્રી હતા ત્યારથી થરૂને અનામતનો લાભ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. હકીકતમાં, થરુ જાતિએ ચૂંટણી પ્રચાર માટે અહીં પહોંચેલા નીતીશની સામે અનામતનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. બિહારમાં પહેલા રાઉન્ડની ચૂંટણી યોજાઈ ચુકી છે.