રાજપુતાના રોયલ નામની કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું
કંપનીમા પહેલા પણ બ્લાસ્ટ થયો હતો
કામદારોએ બેદરકારી પૂર્વક કામ કરવાનો આક્ષેપ કર્યો
પ્રદૂષણથી ગ્રામજનોને ભારે હાલાકી સામનો કરવો પડે છે
પંચમહાલ જિલ્લાના મધવાસ ગામમાં રાજપુતાના રોયલ નામની કંપનીમા બ્લાસ્ટ થયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. જયારે આ ધટનામાં અગાઉ પણ એક કામદારનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધી 2 કામદારોના મોત નીપજ્યા છે.
કંપનીમાં સેફટી વગર બેદરકારી પૂર્વક કામ કરાવાતું હોવાલનુ કામદારોએ આક્ષેપ કર્યા છે. કંપનીના પ્રદૂષણથી વાહન ચાલકો અને ગ્રામજનો ને પણ ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. રાજકીય લાગવગ ધરાવતા કંપનીના સંચાલકો વિરુદ્ધ તંત્ર અને વિભાગોએ સૂચક મૌન ધારણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
