પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત-ચીન વિવાદ અને કોરોનાવાયરસ સંકટને લઇને કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ બેંકિંગ સિસ્ટમ અને વિલફુલ ડિફોલ્ટર્સનાં મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યુ છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમણે બેન્કિંગ સિસ્ટમ સાફ કરવાનો પ્રયાસ કર્યો, આ જ કારણે આરબીઆઈનાં ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની નોકરી ગઇ.
મંગળવારે આરબીઆઈનાં ભૂતપૂર્વ ગવર્નરને લગતા સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે – “બેંકિંગ સિસ્ટમ સાફ કરવાનો પ્રયાસ કર્યો, તેથી તેમને તેમની નોકરી ગુમાવવી પડી… કેમ? વડા પ્રધાન નહોતા ઇચ્છતા કે તે વિલ્ફુલ ડિફોલ્ટરો પર કોઈ પગલું ભરે.”
“Efforts to clean the banking system cost him his job.”
Why?
PM didn’t want him to go after wilful defaulters.https://t.co/hNbnZJ2OLX
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2020
Loading tweet…