![કોગ્રેસે સરકારને આપી સલાહ, તિજોરી ખોલો અને જરૂરિયાતમંદોને આપો રાહત 3 d3d56dcc69e1d76ece895b6f815ac0cd કોગ્રેસે સરકારને આપી સલાહ, તિજોરી ખોલો અને જરૂરિયાતમંદોને આપો રાહત](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/05/d3d56dcc69e1d76ece895b6f815ac0cd.jpg)
કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકારને ગરીબોનાં દર્દનો અહેસાસ નહી હોવાનો આરોપ લગાવતા ગુરુવારે જણાવ્યું હતું કે, મજૂરોને મફતમાં પરિવહન સેવા પૂરી પાડવા સાથે જ ગરીબો પરિવારો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉપક્રમો (એમએસએમઈ) ને તાત્કાલિક આર્થિક મદદ કરવામાં આવે.
સોશિયલ મીડિયા પર કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સ્પીકઅપ ઈન્ડિયા‘ અભિયાનનાં ભાગ રૂપે, સોનિયાએ એક વિડીયો જારી કરીને સરકારને મનરેગા હેઠળ 200 કાર્યકારી દિવસો સુનિશ્ચિત કરવા અને તમામ જરૂરીયાતમંદો માટે રાશનનું સંચાલન કરવાની વિનંતી કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે તેણે ગરીબ, મજૂર અને નાના વેપારીઓની મદદ માટે સરકાર ઉપર દબાણ લાવવાનાં ઉદ્દેશથી આ અભિયાન શરૂ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.