Not Set/ આજે PM મોદી કરશે આત્મનિર્ભર UP રોજગાર અભિયાનનો શુભારંભ, બનશે એક નવો રેકોર્ડ

લોકડાઉન બાદ દેશની અર્થવ્યવસ્થાને ફરી જીવંત બનાવવા માટે કેન્દ્ર સરકારે હવે તેની ઘોષણાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનું શરૂ કર્યું છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશથી શરુ કરી રહ્યા છે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન’ શરૂ કરશે. આ યોજના સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવશે. યુપીના 1 કરોડ લોકોને મળશે રોજગાર […]

Uncategorized
c3ae6a4c1c26751ba8e53c86642dcea5 1 આજે PM મોદી કરશે આત્મનિર્ભર UP રોજગાર અભિયાનનો શુભારંભ, બનશે એક નવો રેકોર્ડ

લોકડાઉન બાદ દેશની અર્થવ્યવસ્થાને ફરી જીવંત બનાવવા માટે કેન્દ્ર સરકારે હવે તેની ઘોષણાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનું શરૂ કર્યું છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશથી શરુ કરી રહ્યા છે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન’ શરૂ કરશે. આ યોજના સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવશે.

યુપીના 1 કરોડ લોકોને મળશે રોજગાર

‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન’ હેઠળ ઉત્તર પ્રદેશમાં 1 કરોડ લોકોને રોજગાર આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક સાથે એક કરોડ લોકોને રોજગારી આપીને એક નવો રેકોર્ડ બનાવશે. એક સાથે એક કરોડથી વધુ લોકોને રોજગારી આપનાર ઉત્તરપ્રદેશ દેશનું એવું પહેલું રાજ્ય બનશે. તે જ દિવસે એમએસએમઈ એકમોને લોન પણ આપવામાં આવશે.

વડા પ્રધાન ગ્રામજનો સાથે કરશે વાત

પ્રાપ્ત માહિતી અનુસાર, યોજનાના લોકાર્પણ બાદ વડાપ્રધાન રાજ્યના છ જિલ્લાના ગ્રામજનો સાથે પણ વાતચીત કરશે. આ જિલ્લાઓના લોકો સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા વડાપ્રધાન સાથે વાત કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઘણા કેન્દ્રિય અને રાજ્ય પ્રધાનો આ યોજનાના વર્ચુઅલ ઉદ્ઘાટનમાં સામેલ થશે. આ અભિયાનનો ઉદ્દેશ બહારથી પરત ફરતા કામદારોને રોજગારી પુરી પાડવી, સ્થાનિક સ્તરે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું અને ઔદ્યોગિક સંગઠનોને સાથે જોડવાનું છે.

ઉત્તર પ્રદેશમાં 30 લાખથી વધુ પરપ્રાંતિય મજૂરો પરત ફર્યા છે. રાજ્યના ફક્ત 31 જિલ્લામાં 25 હજારથી વધુ સ્થળાંતર કામદારો છે. આવી સ્થિતિમાં રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે આ કામદારો માટે રોજગારની વ્યવસ્થા શરૂ કરી છે, જે અંતર્ગત આ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.