![એકશનમાં આવ્યા જ્યોતિરદિત્ય, જીતું પટવારીના મહિલા વિરોધી નિવેદન અંગે સાધ્યું નિશાન 3 99f41cff47b7de7d843181f5369125e9 એકશનમાં આવ્યા જ્યોતિરદિત્ય, જીતું પટવારીના મહિલા વિરોધી નિવેદન અંગે સાધ્યું નિશાન](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/06/99f41cff47b7de7d843181f5369125e9.png)
ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ નેતા જીતુ પટવારીના મહિલા વિરોધી નિવેદન પર નિશાન સાધ્યું છે. જો કે સિંધિયાએ પોતાની ટિપ્પણીમાં કોઈનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ગુરુવારે તેમનું આ ટ્વિટ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીતુ પટવારીની કથિત મહિલા વિરોધી ટિપ્પણી બાદ આવ્યું છે.
સિંધિયાએ પોતાના ટ્વિટમાં સંસ્કૃતનો એક શ્લોક શેર કરતા લખ્યું … યત્રા નાર્યસ્તુ પૂજ્યંતે, રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે, દેવતાઓ ત્યાં વસે છે. આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ, કોંગ્રેસના નેતાઓ જે રીતે સતત અમારી મહિલા શક્તિ વિરુદ્ધ અભદ્ર ટ્વિટસ અને નિવેદનો આપી રહ્યા છે તે ખૂબ નિંદાજનક છે.
“यत्र नार्यस्तु पूज्यंते, रमंते तत्र देवता”, अर्थात- जहां नारी की पूजा होती है वहां देवताओं का वास होता है।
हमारी इस संस्कृति के विपरीत कांग्रेस के नेता जिस तरह से लगातार हमारी नारी शक्ति के खिलाफ अभद्र ट्वीट और बयान दे रहे हैं, वह अत्यंत निंदनीय है।
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) June 25, 2020