વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીની આક્રમકતાને ધ્યાનમાં રાખીને પૂર્વી લદ્દાખની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સૈન્ય ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને શુક્રવારે લેહની મુલાકાત લેશે.
એલએસી ની ગતિવિધિને સમાપ્ત કરવા માટે, બંને દેશો વચ્ચે મંગળવારે, ચૂશુલ સેક્ટરમાં મુખ્ય કમાન્ડર-સ્તરની વાતચીત થઈ હતી. સૈન્ય અધિકારીઓ વચ્ચેની આ બેઠકનો ત્રીજો રાઉન્ડ 12 કલાક સુધી ચાલ્યો હતો અને રાત્રે 11 વાગ્યે પૂરો થયો હતો. લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનના અવરોધપૂર્ણ વલણને કારણે એલએસી પરના ડેડલોકનો અંત લાવવો એક જટિલ પ્રક્રિયા બની ગઈ છે.
Defence Minister Rajnath Singh and Army Chief General Manoj Mukund Naravane to visit Leh on Friday to review the security situation in Eastern Ladakh in view of the Chinese aggression along the Line of Actual Control. pic.twitter.com/2XcqtxX5Hm
— ANI (@ANI) July 1, 2020