દેશનાં ઘણા રાજ્યોમાં નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હી સહિત અનેક બિન-ભાજપ શાસિત રાજ્યોએ તેમના રાજ્યમાં તેનો અમલ નહીં કરવાની ઘોષણા કરી છે, જ્યારે કેરળ સરકારે આ અધિનિયમ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. હવે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા પણ નાગરિકતા સુધારો અધિનિયમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગએ પોતાની અરજીમાં સીએએની નોટિફિકેશન પર પ્રતિબંધની માંગ કરી છે. કેન્દ્ર સરકારે 11 જાન્યુઆરીએ સુધારેલા નાગરિકત્વ કાયદાની નોટિફિકેશન જારી કરી હતી. આ સાથે, આ કાયદો આખા દેશમાં અસરકારક બન્યો. આ કાયદાને ગયા મહિને સંસદનાં બંને ગૃહોએ મંજૂરી આપી હતી. આ કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુધારેલા નાગરિકત્વ કાયદાને મંજૂરી આપી હતી.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી નોટિફિકેશનમાં જણાવાયું છે, ‘કેન્દ્ર સરકાર, નાગરિકતા (સુધારો) અધિનિયમ, 2019 (2019 નાં 47) ની કલમ 1 ની પેટા કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, તારીખ 10 જાન્યુઆરી, 2020 નાં રોજ તે તારીખનાં રૂપમાં નિયત કરે છે, જે સમયે નોટિફિકેશન જોગવાઈઓ અમલમાં આવશે. જણાવી દઇએ કે નાગરિકતા સુધારણા બિલ 10 ડિસેમ્બરે લોકસભા અને તેના એક દિવસ પછી રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
વળી, 14 જાન્યુઆરીએ કેરળ સરકારે આ એક્ટ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેરળ સરકારે આ માટે કલમ 131 હેઠળ સુપ્રીમ કોર્ટમાં શૂટ દાખલ કર્યો છે. કેરળ એવું પહેલું રાજ્ય છે કે જેને નાગરિકતા સુધારો કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ અરજીમાં જણાવાયું છે કે, નાગરિકતા સુધારો અધિનિયમ બંધારણનાં આર્ટિકલ 14, 21 અને 25 નો ભંગ કરતો કાયદો જાહેર કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.