Allahabad News/ વ્યભિચારને દુષ્કર્મ ગણી શકાય? હાઈકોર્ટે જાહેર કર્યો મોટો ચુકાદો, સ્થિતિ કરી સ્પસ્ટ

મહિલાની ફરિયાદ પર અરજદાર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો

Top Stories India

Allahabad News : અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે પરસ્પર સંમતિથી લાંબા સમય સુધી કરવામાં આવેલ વ્યભિચાર જેમાં શરૂઆતથી છેતરપિંડીનું કોઈ તત્વ ન હોય તે બળાત્કારની શ્રેણીમાં આવતું નથી. કોર્ટે લગ્નનું વચન આપવાના બહાને બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવનાર મહિલા સામેનો ફોજદારી કેસ રદ કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી એવું સાબિત ન થાય કે શરૂઆતથી જ આ પ્રકારનું ખોટું વચન આપવામાં આવ્યું હતું, ત્યાં સુધી લગ્નના વચન સાથે સહમતિથી શારીરિક સંબંધ બળાત્કાર સમાન નથી.કોર્ટે કહ્યું, “જ્યાં સુધી એવો આક્ષેપ ન થાય કે આવા સંબંધની શરૂઆતથી જ આરોપી તરફથી આ પ્રકારનું વચન આપવામાં છેતરપિંડીનો કોઈ તત્વ હતો, તો તે લગ્નના ખોટા વચન સમાન નથી.” જસ્ટિસ અનીશ કુમાર ગુપ્તાએ મુરાદાબાદ કોર્ટમાં પેન્ડિંગ ફોજદારી કેસને રદ કર્યો હતો. મહિલાની ફરિયાદ પર અરજદાર વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.

મુરાદાબાદના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે અરજદારે તેના પતિના મૃત્યુ બાદ લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. મહિલાએ દાવો કર્યો હતો કે ગુપ્તાએ તેની સાથે ઘણી વખત લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં વચન તોડ્યું અને બીજી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ફરિયાદી મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ગુપ્તાએ સેક્સ વીડિયો જાહેર ન કરવા માટે તેની પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મહિલાની ફરિયાદ પર નીચલી અદાલતે 9 ઓગસ્ટ, 2018ના રોજ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી.

જો કે, આરોપીએ ચાર્જશીટ અને સમગ્ર ફોજદારી ટ્રાયલ રદ કરવાની વિનંતી કરીને હાઇકોર્ટમાં અરજી કરી હતી. હકીકતો પર વિચાર કર્યા પછી, અદાલતને જાણવા મળ્યું કે ફરિયાદી મહિલા અને આરોપી પુરુષ વચ્ચે લગભગ 12-13 વર્ષ સુધી શારીરિક સંબંધ ચાલુ રહ્યો અને આ સંબંધ તે સમયથી હતો જ્યારે મહિલાનો પતિ જીવિત હતો. અદાલતે શોધી કાઢ્યું હતું કે ફરિયાદી મહિલાએ તેના કરતાં ઘણી નાની વયની વ્યક્તિ પર અયોગ્ય પ્રભાવ પાડ્યો હતો જે તેના પતિની કંપનીમાં કર્મચારી હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છ વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના ગોળીઓના નિશાન સાથેનો જવાનનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીમાં NCની જીત થતાં ઓમર અબ્દુલા બનશે મુખ્યમંત્રી