આજે દેશ અને દુનિયાભરમાં ઈદ-ઉલ-અઝહાનાં તહેવારને મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશનાં ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે આજે ઉર્દૂમાં તેમનો અભિનંદન સંદેશ લખ્યો હતો.
રાષ્ટ્રપતિએ આ સાથે, હિન્દીમાં પણ સંદેશ આપતા, દેશવાસીઓને ભાઈચારો અને બલિદાનની લાગણીની ભાવના વ્યક્ત કરતા તહેવાર પર શુભકામનાઓ આપતા કોવિડને લઇને પણ સતર્ક રહેવા માટે કહ્યુ. રાષ્ટ્રપતિ કોવિંદે તેમના ટ્વિટમાં લખ્યું છે. “ઈદ મુબારક, ઇદ-ઉલ-જુહાનો ઉત્સવ પરસ્પર ભાઈચારો અને બલિદાનની ભાવનાનું પ્રતીક છે અને લોકોને બધાનાં હિત માટે કાર્ય કરવા પ્રેરણા આપે છે. આવો, આ સારા પ્રસંગે જરૂરિયાતમંદ લોકો સાથે આપણી ખુશીઓ શેર કરીએ. અને કોવિડ-19 ને રોકવા માટેની તમામ માર્ગદર્શિકાનું પાલન કરો.”
ईद मुबारक। ईद-उल-जुहा का त्योहार आपसी भाईचारे और त्याग की भावना का प्रतीक है तथा लोगों को सभी के हितों के लिए काम करने की प्रेरणा देता है।
आइए, इस मुबारक मौके पर हम अपनी खुशियों को जरूरतमंद लोगों से साझा करें और कोविड-19 की रोकथाम के लिए सभी दिशा-निर्देशों का पालन करें।
— President of India (@rashtrapatibhvn) August 1, 2020