મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાને મ્હાત આપી છે અને તેઓને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોકટરોએ તેઓને પોતાના ઘરે અલગ રાખવા અને સાત દિવસ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવાની સલાહ આપી છે.
શિવરાજ સિંહ ચૌહાણનો ત્રીજો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 25 જુલાઈએ શિવરાજ સિંહને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ચિરાયુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ‘વડા પ્રધાન આજે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરશે. 500 વર્ષ પહેલાં શરૂ થયેલ ‘મહાયજ્ઞ’ આજે સમાપ્ત થઈ રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની ઇચ્છાશક્તિ અને સંકલ્પના કારણે તેઓએ આજે છેલ્લા 500 વર્ષમાં ભારતનો સૌથી મોટા નેતા બનાવી દીધા છે.
PM will lay the foundation stone of #RamTemple today in Ayodhya. The ‘mahayagya’ which started 500 years ago, is culminating today. The willpower & resolve shown by PM Narendra Modi has today made him the tallest leader of India in the last 500 years: MP CM Shivraj Singh Chouhan https://t.co/EUPpHTf6MZ pic.twitter.com/Lx9DGoOrMB
— ANI (@ANI) August 5, 2020