જ્યારે વડા પ્રધાનને કારમાં ભૂલી ગયેલી કોઈ વસ્તુ યાદ આવી અને તેઓ જાતે જ તે વસ્તુ લેવા માટે કારમાં પાછા ફર્યા. તેમને તે વસ્તુ કારમાં મળી અને ફરી પાછા પૂજા સ્થળે ગયા. વડા પ્રધાન રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન સ્થળ પર પહોંચતા પહેલા હનુમાનગઢી એ બાલ હનુમાનની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર ભૂમિ પૂજન પ્રસંગે રામલાલા અર્પણ કરવા માટે કુંભ કળશને સાથે લાવ્યા હતા. જો કે, તેઓ તેમના લાવેલા કુંભ કળશને તેમની કારમાં કદાચ ભૂલી ગયા હતા. જ્યારે તે કારમાંથી નીચે ઉતરીને પૂજાસ્થળ તરફ આગળ વધ્યા, ત્યારે તેમને રામલાલા માટે જે ઉપહાર લાવ્યા હતા તે યાદ આવ્યું. ત્યારબાદ વડા પ્રધાન પોતે કાર તરફ ચાલ્યા ગયા. મોદી કારમાં બેઠા અને રામલલ્લા માટે લાવેલી ભેટ લઈ ગયા અને પછી પૂજા સ્થળે પહોંચ્યા. આ પહેલા વડા પ્રધાન હનુમાનગઢી ગયાહતા.
#WATCH Prime Minister Narendra Modi offers prayers to Ram Lalla, performs ‘sashtang pranam’ (prostration) at Ram Janmabhoomi site in Ayodhya pic.twitter.com/G6aNfMTsLC
— ANI (@ANI) August 5, 2020
Loading tweet…