ભારત-પાક સરહદે હાઇ એલર્ટ પર ચલી રહેલ બીએસએફ જવાનોએ બાડમેર સેક્ટરમાં શુક્રવારે મોડી રાત્રે ઘુસણખોરની હત્યા કરી હતી. પાકિસ્તાનથી તારબંદી બેરિકેડ ખોલીને ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલા ઘૂસપેઠીયાને પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફ જવાનોએ અનેક ચેતવણી આપી હતી. પણ તે આગળ વધતો રહ્યો. આના પર, તેઓએ તેને ગોળી મારીને તેને ત્યાં જ ઠાર કર્યો હતો.
બાડમેર જિલ્લાના બાખાસર ખાતે શુક્રવારે રાત્રે પાકિસ્તાનની સરહદ પર પેટ્રોલિંગ કરતા બીએસએફ જવાનોએ બેરિકેડ પાસે કંઇક હલનચલન જોયું. નજીક જઈને જોયું તો ત્યાં એક યુવક સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો હતો. સૈનિકોએ તેને ત્યાં રોકાવાનું કહ્યું. પરંતુ ચેતવણીને અવગણીને તે ભારતીય પ્રદેશમાં આગળ વધતો રહ્યો. આના પર જવાનોએ વારંવાર તેને ચેતવણી આપી હતી કે તે જ્યાં છે ત્યાં જ તેના હાથ ઉઠાવીને ઉભા થઇ જાય, પરંતુ યુવકે તેમની વાત માની નહતી. જે બાદ સૈનિકોએ ફાયરિંગ શરૂ કર્યું હતું.
બે ગોળી ચલાવવામાં આવતા જ પાકિસ્તાની યુવક ત્યાં ઠાર થઇ ગયો હતો. યુવક પાસેથી કેટલાક પાકિસ્તાની રૂપિયા મળી આવ્યા છે. હવે બીએસએફ બાડમેર સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ સાથે ફ્લેગ મીટીંગ કરીને મૃતદેહને સોંપવાની પ્રક્રિયા શરૂ કરશે.
આપણ વાંચો: #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 61537 નવા કેસ, 933 લોકોએ ગુમાવ્યો જીવ
નોંધનીય છે કે ભારત-પાકિસ્તાન સરહદ પર ભારત દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફેન્સીંગ સાથે ફ્લડલાઇટ પણ છે. આવી સ્થિતિમાં રાતના અંધારામાં સરહદ પર થતી દરેક હરકત બીએસએફના સૈનિકોને સ્પષ્ટ દેખાઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.