સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. SC એ પોતાના આ મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, દીકરી પણ તેના પિતાની સંપત્તિમાં સમાન ભાગીદારીની હકદાર રહેશે, જેનાં પિતા વર્ષ 2005 પહેલા મૃત્યુ પામ્યા હતા.
વર્ષ 2005 માં, પુત્રીની સંપત્તિમાં પુત્રીઓને સમાન હિસ્સો આપવા માટે હિન્દુ ઉત્તરાધિકારી એક્ટ 1956 માં સુધારો કરવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધીની વ્યવસ્થા અનુસાર, જો આ સુધારા પહેલા એટલે કે 2005 પહેલા પિતાની મૃત્યુ થઈ હોય, તો પુત્રીઓને પિતાની પૂર્વજોની સંપત્તિમાં ભાગ મળતો ન હતો. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે હવે ચુકાદો આપ્યો છે કે પિતાની સંપત્તિમાં તે પુત્રીનો પણ સમાન હિસ્સો રહેશે, જેના પિતા વર્ષ 2005 પહેલા મૃત્યુ પામ્યા હતા.
એટલે કે, અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, જો પિતાની મોત આ સુધારણા પહેલા એટલે કે 9 સપ્ટેમ્બર 2005 પહેલા થઇ ચુકેલી હતી તો પિતાને પૈતૃક સમ્પત્તિમાં પુત્રીઓને ભાગીદારી મળતી નહોતી. પરંતુ હવે તેવુ નહી બને. આ નિર્ણય દ્વારા પુત્રીઓનાં હક મજબૂત બન્યા છે. જસ્ટિસ મિશ્રાએ ચુકાદો વાંચતા કહ્યું કે પુત્રી હંમેશા માટે પુત્રી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.