સિટિઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ (રાષ્ટ્રીય સુધારણા અધિનિયમ 2019) ની વિરુદ્ધ લડાઇ માત્ર રસ્તાઓ પર જ નહીં પરંતુ સોશિયલ મીડિયા ટ્વિટર પર પણ છે. આ કાયદાની વિરોધમાં માત્ર ભારતનાં લોકો જ નહીં પણ બહારનાં લોકો પણ ઉભા થયા છે. પાકિસ્તાની લેખક તારિક ફતહે પણ નાગરિકત્વ કાયદાને મોદી સરકારની સૌથી મોટી ભૂલ ગણાવી છે.
જાવેદ અખ્તર દ્વારા કરેલા એક ટ્વીટનો જવાબ આપતાં તારિક ફતેહે કહ્યું, ‘જાવેદ સાહેબને ખરેખર બ્રહ્મુદઘને શરણ આપવાની મનાઇ કરી દીધી છે. ભાજપ સરકારે આ ખૂબ મોટી ભૂલ કરી છે. જો કે સીએએ વિરુદ્ધ આંદોલન મારા અથવા શ્રી બુગતિ જેવા મુસ્લિમોને તેમાં રહેવા દેવા માટે નથી.
Not at all @JavedAkhtarJadu sahib. In fact, in refusing asylum to Brahumdagh @bBugti, the BJP govt made an unforgivable mistake. However, the agitation against the #CAA is not to allow Muslims like me or Mr. Bugti to settle in India. (1/2) https://t.co/NX7G2Nodhw
— Tarek Fatah (@TarekFatah) December 24, 2019
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં પાકિસ્તાની પત્રકાર અને લેખક તારિક ફતેહ નાગરિકતા સુધારો અધિનિયમ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં અમિત શાહ અને એક ગાય જોવા મળી રહી છે. ગાય ઉપર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની લઘુમતીઓ લખેલી છે. અમિત શાહ આ ગાયને આવકારતા જોવા મળી રહ્યા છે.
તારીકનાં આ ટ્વીટનો જવાબ આપતા જાવેદ અખ્તરે લખ્યું, ‘તારિક સર, ભૂતપૂર્વ પાકિસ્તાની હોવાને કારણે તમે જાણતા હશો કે ઘણી શિયા, કાદિયાની અને બલોચી ગાય પણ છે. શું તમે તેમના પર અમારા દરવાજા બંધ કરવાના પક્ષમાં છો?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
