પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઝેર ઓક્યું છે. યુએનેમાં પોતાના સંબોધન દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાને ભારત પર આક્રમકતાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે એક દાવો કર્યો કે તેઓ અને તેમનો દેશ ભારત સાથે શાંતિ ઇચ્છે છે.
ભારતે આપ્યો જળબાતોડ જવાબ
યુએન જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનને જવાબ આપતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ, પેટલ ગેહલોતે કહ્યું કે પાકિસ્તાની વડા પ્રધાને ભારત સાથે શાંતિની વાત કરી છે. જો તે ખરેખર સાચા હોય, તો રસ્તો સ્પષ્ટ છે. પાકિસ્તાને તાત્કાલિક આતંકવાદી છાવણીઓ બંધ કરવી જોઈએ અને બધા આતંકવાદીઓને ભારતને સોંપી દેવા જોઈએ.
પેટલ ગેહલોતે આગળ કહ્યું કે એ પણ વિડંબના છે કે જે દેશ નફરત, કટ્ટરતા અને અસહિષ્ણુતામાં માને છે તે આ સભાને શ્રદ્ધાના મુદ્દાઓ પર ઉપદેશ આપી રહ્યો છે. પાકિસ્તાનનું રાજકીય અને જાહેર પ્રવચન તેના સાચા સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. સ્પષ્ટપણે, તેમના માટે અરીસામાં જોવાનો સમય ઘણો વીતી ગયો છે.
પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામની અપીલ કરી હતી
પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું કે કેવી રીતે ભારતીય હુમલાઓ પછી પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામની અપીલ કરી હતી. “ભારત સાથેના તાજેતરના યુદ્ધવિરામ પર પાકિસ્તાનના વડા પ્રધાને એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. આ બાબતે રેકોર્ડ સ્પષ્ટ છે,” તેમણે કહ્યું. 9 મે સુધીમાં, પાકિસ્તાન ભારત પર વધુ હુમલાઓની ધમકી આપી રહ્યું હતું. પરંતુ 10 મેના રોજ, પાકિસ્તાન સેનાએ સીધી અમને લડાઈ બંધ કરવા અપીલ કરી. આ દરમિયાન, ભારતીય સેનાએ અનેક પાકિસ્તાની વાયુસેના મથકો પર વિનાશ વેર્યો. તે નુકસાનના ફોટા જાહેરમાં ઉપલબ્ધ છે.
ભારતમાં નિર્દોષ નાગરિકોના મોત માટે પાકિસ્તાન જવાબદાર છે
ગેહલોતે આગળ કહ્યું કે જો નાશ પામેલા રનવે અને બળી ગયેલા હેંગરો વિજય જેવા લાગે તો “જેમ (પાકિસ્તાની) વડા પ્રધાને દાવો કર્યો છે, પાકિસ્તાન આનો આનંદ માણી શકે છે. સત્ય એ છે કે, ભૂતકાળની જેમ, ભારતમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન જવાબદાર છે. અમે અમારા લોકોનો બચાવ કરવાના અમારા અધિકારનો ઉપયોગ કર્યો છે.”
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: USA News/ટ્રમ્પે ભારત-પાકિસ્તાનનો આલાપ સંયુક્ત રાષ્ટ્રમાં પણ છોડ્યો નહીં, UNGAમાં કહ્યું કે તેમણે યુદ્ધવિરામ લાગુ કરાવ્યો
આ પણ વાંચો: World News/પેરાસિટામોલ પ્રેગ્નન્સીમાં ખતરનાક? દુનિયામાં ટ્રમ્પના દાવાથી ચિંતા, ભારતની નિકાસ પર થશે અસર?
આ પણ વાંચો: World News/ડોક્ટરોને H-1B વિઝા ફીમાંથી એક લાખ ડોલરની છુટ આપી શકે છે અમેરિકા
